SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ પ્રશરિત. [૪૬૧ ] પ્રસરતાં અને તરફ અતિ મોટા(કઠણ) તારૂપી શુકલધ્યાનરૂપી અગ્નિવડે સુખસમૂહુરૂપી કદલીવડે કંદલીની શ્રેણિ જેવા પાપધામ(પાપના ઘર-સાત નરક)ને બાળી નાંખનારી, (નાગરાજની ફણાથી શોભે છે), અથવા પોતાના નિવાસસ્થાનની પ્રાર્થના માટે કામદેવે પિતે મોકલેલી જાણે દૂતની સંતતિ(પરંપરા) હેાય તેવી, અથવા નેત્રની શોભાવડે * છતાયેલી કરમાઈ ગયેલા નવા નીલ(કાળા) કમળની શ્રેણિ જાણે પ્રભુની આરાધના કરવા આવી હોય તેવી, અથવા લોકને વિષે સાત તત્વને પ્રકટ કરવા માટે અતિ મોટા મેષના પકવડે જાણે મંડળ આળેખેલ હોય તેવી, અથવા હણાયેલી શોભાવાળા મહારાજાને હેણવા માટે જાણે ધૂમકેતુની પંક્તિ ઉદયને પામી હોય તેવી સુગંધી (પ્રભુના) મુખરૂપી કમળના સુગંધને લેવાની ઈચ્છાવાળી થવાથી રચેલા (કરેલા) પરિવેષવાળી ભમરાની શ્રેણિ જો હોય તેવી આવી રીતે ઘણી ઉપમાવાળી નાગરાજના ફણાની શ્રેણિ જે (પ્રભ)ના મસ્તક ઉપર શોભે છે, તે પાર્શ્વનાથ પ્રભુને હું નમું છું. આ પ્રમાણે ઇદ્રો સંસારમાં થનારા મોટા દુઃખરૂપી દોષ જેના ગયા છે (દેષ રહિત) એવા પાર્શ્વનાથની સ્તુતિ કરીને, હદયમાં મણિની જેમ પ્રભુને ધારણ કરતા અને અતિ મોટા શોકરૂપી દુઃખથી વ્યાકુળ થયેલા તે ઇકો પોતાને પથાને ગયા. આ પ્રમાણે જિનેશ્વર અને ગણધરને સમૂહ મોક્ષમાં ગયે. ત્યાર પછી અઢીસો વર્ષ સુધી તીર્થ પ્રવત્યું. ત્યાર પછી ત્રણ ભુવનના એક તિલકરૂપ, મંગળના સ્થાનરૂપ અને આશ્ચર્યકારક મોટા સત્વને પામેલા મહાવીર જિનેશ્વર ઉત્પન્ન થયા. તે પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ પ્રવર્તતું હતું ત્યારે દેવતાઓએ વંદન કરવા લાયક ચંદ્રકુળને વિષે પ્રસિદ્ધ અને તપ, જ્ઞાન તથા ચારિત્રરૂપી રન્નેના નિધિ સમાન શ્રીવધ. માનસૂરિ વિશાળ વ શાખાને વિષે હતા, કે જેનું સ્મરણ કરતા લોકો હજુ પણ રોમાંચને વહન કરે છે. તે સૂરિને સૂર્ય અને ચંદ્રની જેમ જગતમાં પ્રસિદ્ધ આચાર્ય જિનેશ્વર અને બુદ્ધિસાગરાચાર્ય નામના બે શિષ્ય હતા. વળી તેમના બે શિષ્ય પૃથ્વીતલને વિષે અતિ પ્રસિદ્ધ હતા. તેમાં પહેલા જિનચંદ્રસૂરિ નામના અને બીજા અભયદેવસૂરિ નામના હતા. સિદ્ધાંતની વૃત્તિ(ટકા)ની રચનાવડે તથા પ્રકરણ વડે ભવ્ય જિનેને ઉપકાર કરનારા તેમના ગુણના એક લેશને પણ વિસ્તાર કરવાને કોણ સમર્થ હોય તેમના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિ સર્વ ગુણના નિધાન હતા. તેના ચરણકમળની સેવા કરનારા સુમતિ ઉપાધ્યાય નામના શિષ્ય સંવેગરંગશાળારાધન નામનું શાસ્ત્ર જગતમાં પ્રસિદ્ધ કર્યું તથા તેમણે મહાવીરચરિત્ર રચ્યું અને કથારત્નમેષ ર. સુવર્ણના ઇંડાવડે( શિખરવડે) શોભતા મુનિસુવ્રતસ્વામી અને મહાવીર સ્વામીના ચેવડે રમણીય ભરુચ નગરમાં આમદત્ત શ્રેણીના ઘરમાં રહેલા તે શ્રી દેવભદ્રસૂરિએ આ - ૧ જુદા વેલવાળા.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy