SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કહેલ શ્રાવકની અગિયાર પ્રતિમાઓનુ` સ્વરૂપ. [ ૪૫૫ ] “ ધર્મની ક્રિયાવડે ઘરને વિષે વસા, અને અમારું મરણુ પ્રાપ્ત થાય ત્યાર પછી આત્માનુ પરિક ( મરણુકા ) કરજો. અને પછી તમને જે કાંઇ રુચે તેનું અનુષ્ઠાન કરો. તમને કાઇ નિવારશે નહીં. આ પ્રમાણે સાંભળીને તેઓએ ફરીથી પાર્શ્વનાથ જિનેશ્વરને પૂછ્યું, “ હું ભગવાન ! દેશિવરતિ અને સવિતિની મધ્યે (વચ્ચે) અમારી જેવાને કરવા લાયક શું ત્રીજો પણ કાઈ કરવા લાયક વિધિ છે? તે કહેા. ” ત્યારે સ ંદેહનું દલન ( નાશ ) કરનાર ત્રણ ભુવનના પ્રાણીઓવડે નમાતા ચરણવાળા જિનેશ્ર્વર તેના ઉપર અમૃત રસની છાંટાના જેવી સ્વચ્છ ચક્ષુને નાંખતા આ પ્રમાણે કહેવા લાગ્યા.—“ હું શ્રાવકપુત્રા ! દેશવિરતિ અને સર્વવિરતિના મધ્ય વિભાગમાં વતા અગ્યાર પ્રતિમાના વિધાન( કરવા )ના પ્રધાન કાર્યવિધિ સારી ક્રિયા કરનારા ગૃહીજાને યાગ્ય છે. તે વિધિને કરતા પ્રાણીએ ઘેાડા કાળમાં જ સંયમમાં સમર્થ થાય છે, કેમકે મળની તુલના નહીં કરનારા જીવા કાંઇક ધર્મક્રિયા કરીને પાછા વળે છે. ગૃહી ધર્મને વિષે સૌભાગ્યની ઉપર મજરી( માંજર )ના જેવી ચૂડામણિ સરખી અગ્યાર પ્રતિમાનુ સ્વરૂપ અહીં તમે સાંભળેા. આ જગતમાં ગૃહસ્થી વિશુદ્ધ સમગ્ર વ્રત-સમૂહને પાળીને, સર્વથા એક ચિત્તવાળા થઈને તથા પવિત્ર જિનાલય અને જિનબિંબ કરાવીને ઘર અને પુત્રના પ્રતિબંધ( આગ્રહ )ના આલ ંબનવડે વસતા, દિવસે દિવસે વૃદ્ધિ પામતા અનગારી ( સાધુ )ની દીક્ષાને ગ્રહણુ કરવાના વિષયની ઇચ્છાવાળા, કેટલેાક કાળ નિર્ગીમન કરીને સમગ્ર કાર્યાંના ત્યાગ કરનાર, ધર્માંમાં જ એક નિબદ્ધ (ઢંઢ) બુદ્ધિવાળા, પેાતાના સુખની અપેક્ષા રહિત, મેાક્ષ મેળવવામાં જ એક લક્ષ્યવાળા જેટલામાં હજી પણ સાવદ્યના અત્યંત ત્યાગવાળી પ્રવ્રજ્યા પ્રાપ્ત નથી થઈ, તેટલામાં ( ત્યાં સુધી ) પ્રતિમાના વિધાનવર્ડ જ આત્માની તુલના કરું, એમ વિચારીને કપાળતળ ઉપર એ હસ્તકમળને સ્થાપન કરીને આ પ્રમાણે ગુરુને તે કહે કે—“ હે ભગવાન ! શ્રાવકને ચેાગ્ય પ્રતિમાઓનું સ્વરૂપ કહેા. ’ ત્યારે તેની ચાગ્યતા જાણીને સૂરિ કહે, કે–“ અહા! તુ' સાંભળ. અહીં દન વિગેરે અગ્યાર પ્રતિમાઓ છે. દન ૧, વ્રત ૨, સામાયિક ૩, પૌષધ ૪, પ્રતિમા ૫, બ્રા ૬, અચિત્ત ૭, આરભવન ૮, પ્રેષ્પવર્જન ૯, ઉદ્ભિવન ( ત્યાગ ) ૧૦ અને શ્રમણભૂત ૧૧, તેમાં દન એ સમ્યકત્વ કહેવાય છે, અને તે ( સમ્યકત્વ) વિશેષ અભિગ્રહને ગ્રહણ કરવાવડે અંગીકાર કરનાર ગૃહીને હાય છે. વળી મિથ્યાત્વના વિરહથી શકાઢિ દોષ રહિત, સમગ્ર કદાગ્રહના સમૂહના દૂરથી ત્યાગ કરનાર, જ્ઞાનાવરણુના સદ્ભાવ ડેાવાથી અનાભાગ સહિત છતાં પણ ભાવને દૂરથી ત્યાગ કરનાર, ધર્માસ્તિકાય વિગેરે ગુણુ કરીને યુક્ત, શુભ અનુબંધવાળા, રાજાભિયોગ વિગેરે છ છીંડીથી રહિત, તથા ત્રણે કાળ વિક ળતા રહિત પૂજાના સમૂહપૂર્વક જિનવદન અને સાધુસેવામાં તત્પર એવા શ્રાવકને એક માસ માત્ર કાળના પરિમાણવાળી પહેલી દન નામની પ્રતિમા હોય છે. હવે બીજી વિશુદ્ધ સમ્યગ્દ†નવાળા, સ્થૂળ પાંચ અણુવ્રતના સ્વીકારવડે પ્રધાન, ܕܕ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy