SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ધનદેવને લલચાવવાના પ્રિયકરીના પ્રયત્ના અને પામેલ નિષ્ફળતા. [ ૪૧૫ ] ,, થોડા માત્ર પણ સક્ષેાલ ( વ્યાકુળતા ) ધારણ ન કરશેા. ” ત્યારે ત્રિભુવનદેવીએ કહ્યું કે“ હું સુતનુ! તું જેમ કહે છે, તે તેમજ છે. કેવળ સાવધાન રહેજે. કેમકે વાંછિત અર્થની સિદ્ધિ ધણા વિાવાળી હોય છે અને ઘણા લેાકેા છિદ્ર જેવામાં તત્પર હોય છે. ” ત્યારે પ્રિયંકરાએ કહ્યું કે-“ હું એમજ કરીશ. ” ત્યારપછી તે ધનદેવની પાસે જેવા તેવા પ્રયાગા કરીને જવા લાગી. કાઇક સમયે હુ'મેશાં આવવાવડે વિશ્વાસ ઉત્પન્ન થવાથી તેણીએ એકાંતમાં ધનદેવને કહ્યું કે હે મહાભાગ્યવાન ! રાજાની અગ્રસહિષી ( પટ્ટરાણી ) ત્રિભુવનદેવી તારા ગુણુના ગૌરવથી રજિત થઇ છે, તેથી તારા દર્શીનને અત્યંત ચાહે છે, તેથી સથા પ્રકારે મારી સાથે ચાલ. ” ધનદેવે કહ્યું કે-“ હું ભદ્રા ! માતાની પાસે જવામાં શા દોષ છે? પરંતુ સામાન્યથી પણ બીજાને ઘેર જવામાં જીવન પર્યંત મારી નિવૃત્તિ છે, તા પશુ રાજાની રાણીના ભવનમાં નિવૃત્તિ હોય તેમાં શું કહેવું ? ” તેણીએ કહ્યું “ એમ તું ન મેલ, ન એલ. જો તારા દર્શન માત્રવડે પણુ દેવીના મનમાં શાંતિ થાય, તે તેમાં અકલ્યાણુ શું છે ? ” ત્યારે જાણે પથ્થરમાં કાતાં હાય, તેમ તે ઉત્તર આપ્યા વિના જ મૌન રહ્યો ચિરકાળ સુધી પેાતાના આત્માની કદના કરીને અકૃતાર્થ થયેલી તે પ્રિયંકરી રાજાની રાણી પાસે ગઇ. તેણીને નિસ્તેજ મુખવાળી જોઇને ત્રિભુવન દેવીએ કહ્યું કે-“ હે હુલા (સખી )! તારા મુખની શાભાએ જ કહ્યું કે-પ્રસ્તુત કાર્યના વિષયમાં કાંઇ સિદ્ધિ થઈ નથી. ” પ્રિયંકરીએ કહ્યું કે–“ એએમજ છે. જે વિષ્ણુપુત્ર સારા રૂપવાળી સ્ત્રીજન ઉપર જરાપણ ચક્ષુને પણ નાંખતા નથી જ, તે રાજાના અંત:પુરમાં શી રીતે આવે ? તેમાં પણ જે સજીવ અને નિવના વચનની પરિભાવના( વિચાર )ને કરતા નથી, પથ્થરની જેવા તેને પેાતાના કાર્ય માં શી રીતે સ્થાપન કરાય ? ' ત્યારે રાજાની રાણીએ કહ્યું કે—“ હૈ પ્રિયંકરી | સÖથા પ્રકારે પ્રતિવિધાન ( પ્રતિકાર--ઉપાય ) રહિત આ વ્યસન (કષ્ટ ) આવી પડયું છે. તે પ્રાણુની હાનિ( નાશ ) વિના વિરામ નહીં પામે, એમ હું સભાવના કરું છું, ” પ્રિયંકરીએ કહ્યું–“ હે સ્વામિની ! તમે ઉત્સુક ન થાઓ. જ અતિ દુČભ પદાર્થને વિષે કાળક્ષેપ વિના શી રીતે સિદ્ધિ થાય ? તેમાં પણ સંશય છે, તા પણ ઉદ્યમ મૂકવા ન જોઇએ. વળી હે દેવી ! તમે શું આ નથી સાંભળ્યું? કે પૂર્વે ઉદ્યમના વ્યવસાયર્ડ શેાલતા, વેળાવš પેાતાના બાળકનુ હરણુ કરવાથી ક્રોધને વહુન કરતા ( પામેલા ) અને સમુદ્રને ખાલી કરવાના નિશ્ચય કરીને જળબિંદુઓને લઈ જતા ટિટ્ટિસે( ટીંટાડીએ ) પણ સમુદ્રના પણ વ્યાકુળપણાને પમાડ્યો. તેના ઉદ્યમથી મનમાં શંકા પામેલા તે સમુદ્રે પણ પાતાના રક્ષણને માટે પાણીનું હરણ કરી ટ રીતે ઢાંકીને તેના બાળકને આપ્યા. આ પ્રમાણે હે દેવી ! થાડા માત્ર પશુ વાંછિત પદાર્થીની સિદ્ધિ જલદી થતી નથી, તેા પછી સ્વભાવથી જ દુર્લભ પઢાની સિદ્ધિનુ વિધાન જલી કેમ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy