________________
મુનિચંદ્ર મુનિએ કહેલ બાળચંદ્રનો પૂર્વભવ.
[ ૩૮૯]
* બને ચરણ રાખીને નીચા મુખવાળો થઈને લીલા વનના દાહથી ઉત્પન્ન થયેલ મેટા ધૂમની શિખાને પીતે હતે. તથા કેઈક વખત બુદ્ધિના બળવાળે અને વિશ્વાસવાળો તે માસના પારણાને કાળે સુખ સેવાળની મંજરીને તલસાંકળીની જેમ ખાતે હતું. આ પ્રમાણે મોટું અજ્ઞાન તપ કરવાવડે માંસ અને રુધિર રહિત શરીરવાળે અનશન કરીને મરણ પામીને મહદ્ધિક અસુર થયે. ત્યાંથી આયુષ્યના ક્ષયવડે ચ સતે મંગલાવતી નગરીમાં વનદેવ નામના શ્રેષ્ઠીની વસુમતી નામની ભાયોની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થયો. ઉચિત સમયે તેને જન્મ થયે. બાર દિવસ ગયા ત્યારે તેનું બાળીચંદ્ર નામ પાડયું. બાળપણાને ઉલ્લંઘન કર્યું ત્યારે તેને ભણવા માટે ઉપાધ્યાયને સેં. ઉપાધ્યાયે તેને ગૌરવથી ભણાવવાને આરંભ કર્યો. પૂર્વ કાળ( ભવ)ના જ્ઞાનાવરણને લીધે અત્યંત અભ્યાસ કરતાં છતાં પણ તેને એક અક્ષર પણ આવડે નહીં ત્યારે ઉપાધ્યાય ખેદ પામે, તેથી તેણે બાળચંદ્રને વિસર્જન કર્યો ત્યારે તે પિતાને ઘેર ગયે. પિતાએ તેને પૂછયું ત્યારે તેણે પિતાને વૃત્તાંત કહ્યો. ત્યારે પિતાએ તેને બીજી લેખશાળામાં મોકલ્યા. ત્યાં પણ તેમ જ થયું. એ પ્રમાણે પાંચ લેખશાળામાં તેને મોકલ્યો અને તે જ રીતે પાછો આવ્યો. ત્યારે પિતા ખેદ પામે. પછી “હવે હું શું કરું?” એમ વિચારીને પુત્રને વિદ્યાની પ્રાપ્તિ થવા માટે મંત્ર-તંત્રાદિક કરાવવા લાગે. પથ્થરની જેમ તેને એક અક્ષર પણ પ્રાપ્ત નહીં થવાથી પિતા અને બાળચંદ્ર ઉગ પામ્યા. ત્યાર પછી ભગ્ન ઉત્સાહવાળા અને આનંદ રહિત તે બને ઘેરથી નીકળીને ઉદ્યાનમાં ગયા. ત્યાં એક વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં પાસે તમાલ વૃક્ષની નીચે બેઠેલા અવધિજ્ઞાનવડે ભૂત અને ભવિષ્યના ભાવને જાણનારા અને ભવ્ય જાવડે સેવા કરાતા મુનિચંદ્ર નામના એક સાધુને જોયા. ત્યારે પિતાએ બાળચંદ્રને કહ્યું કે-“હે વત્સ! આ કઈક મુનિને તું જે. તેને હું અતિશય જ્ઞાનવાળા જાણું છું કેમકે લેકે તેને પિતાની જેમ અને દેવની જેમ સેવે છે.” બાળચંદ્રે કહ્યું કે-“હે પિતા! જો એમ હોય તો ત્યાં જઈને તેને આપણે વાંચીએ, અને આ પૂર્વે કરેલા કર્મનું સ્વરૂપ પૂછીએ.” પછી ભલે એમ કરીએ.” એમ બોલીને તે બને તેની પાસે ગયા. મોટા આદરથી મુનિને વાંદીને તેની સમીપે બેઠા. ત્યાર પછી સમયને પામીને શ્રેષ્ઠીએ સાધુના પગમાં પડીને તેને પૂછયું કે-“હે ભગવાન! મોટા આદરથી ભણાવ્યા છતાં પણ આ મારા પુત્રને એક અક્ષર પણ આવડતો નથી. તેનું શું કારણ?” ત્યારે અવધિજ્ઞાનના બળથી તેને પૂર્વ વૃત્તાંત જાણીને સાધુએ કહ્યું કે-“હે ભદ્ર! જયદેવસૂરિના ભયમાં વર્તતા તારા પુત્ર જ્ઞાનદાનને ખંડન કરવાથી અત્યંત જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જન કર્યું છે. અનંતકાયાદિકના ભક્ષણવડે અને અભયદાનને નહીં કરવાવડે વિરૂપપણું અને અલ્પ આયુષ્યપણું બાંધ્યું છે. તથા સાધુવર્ગના દાનના વિછેદનું આચરણ કરવાવડે લાભાંતરાય કર્મને નિકાચિત કર્યું છે. આ કર્મોને વિપાક આણે દરેક જન્મમાં અનેક પ્રકારે સહન કર્યો છે. તે એ અત્યંત