SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ: ૪ : આત્માની જેમ જાણું છું.” ત્યારે મનમાં અત્યંત કરુણાને પામેલા રાજાએ મનહર અંગારને ધારણ કરનારી, ઉદાર શરીરવાળી બંધુમતી વિગેરે પાંચ અંતઃપુરની સ્ત્રીઓને બોલાવીને સેનાપતિના પુત્રને બતાવી. ત્યારે વિશેષ કરીને ચિત્તની સમાધિને પામેલા તેણે સંજમથી ભરાયેલા નેત્રવડે આદર સહિત જોઈને તે બંધુમતીને દેખાડી કે-“હે. દેવ ! આ ભાર્યા મને આપી છે. ” તે સાંભળીને પશ્ચાત્તાપ પામેલા રાજાએ વિચાર્યું કે-“આવા નિર્મળ મતિવાળા પણું આને લેકેએ ઘેલે કરી દીધું. બીજાના હૃદયમાં વર્તતા દુઃખને બીજે કઈ જાણી શકતું નથી. આ સ્ત્રીને માટે જ આવા પ્રકારના મોટા દુઃખને પામે છે તેથી આ મહાનુભાવને આ આપવી. હજી પણ કેટલાક પુરુષ દુખથી ઉપાર્જન કરેલા ધનને અને જીવિતને પણ બીજાના સંતોષને માટે આપે છે, તો પછી આ સ્ત્રીને રાખવાથી શું ફલ?” આ પ્રમાણે વિચારીને રાજાએ પોતે જ મોટા હર્ષને પરાધીન થયેલા હૃદયવાળા હેમદત્તને તે સ્ત્રી આપી. ત્યારે તે કમળના પત્ર જેવા દીધું નેત્રવાળી તેણીને ગ્રહણ કરીને પિતાને ઘેર ગયો. તે વખતે ભુવનના અંતરાલને ભરી દેનાર રાજાનો યશ વિસ્તાર પામે. વિશેષ એ કે-“હું અમાત્યની પુત્રી થઈને તથા રાજાની મોટી રાણુ થઈને હવે તેના ચાકરની ભાર્યાપણાને હું શી રીતે પામીશ? તેથી આ તે અત્યંત મોટી નિંદાનું સ્થાન છે.” એમ વિચારીને તે બંધુમતી ચિત્તમાં સંતાપને પામી. ત્યાર પછી તેણીએ પાન, ભોજન અને શણગાર વિગેરેનો ત્યાગ કર્યો, હસ્તતળ ઉપર મુખને સ્થાપન કરીને કાંતિ રહિત થઈને શૂન્ય ચક્ષુના નિક્ષેપવાળી અને મૌનને ધારણ કરનારી તે હેમદત્તના ઘરમાં રહી. તેને અભિપ્રાય નહીં જાણતા હોવાથી મનમાં હર્ષ પામેલા સેનાપતિએ પણ પુત્રવધૂના આગમનને માટે ઉત્સવને આરંભ પ્રવર્તા. નગરના લેકેને ભોજન કરાવ્યું, પાનબીડા આપ્યા, માગધ અને દીનાદિકને વાંછિત દાન આપ્યું. પછી દિવસને અંત થયે ત્યારે સેનાપતિએ આ વાત જાણી કેવિનય સહિત કા છતાં પણ પુત્રવધૂ ભેજન કરતી નથી. આ વાત તેણે અમાત્યને કહી. તેણે પણ ઘણું વચનની રચનાવડે ઘણા પ્રકારે સમજાવી તે પણ તેણીએ કોઈ પણ પ્રકારે કાંઈ પણ અંગીકાર કર્યું નહીં. તે જાણી ગભરાયેલા ઘરના જ “હવે શું કરવું?” એમ વિચારીને ચિત્તમાં વ્યાકુલ થયા. સેનાપતિ અને હેમદત્ત પણ મોટા શકને પામ્યા. કેઈ પણ પ્રકારે અમાત્યે તેણીને કહ્યું કે-“હે પુત્રી ! તારું મનવાંછિત તું કહે.” ત્યારે તે બેલી કે-“હવે મારે ઘરવાસવર્ડ સર્યું. ઘરમાંથી નીકળીને તાપસની દીક્ષા લઈને પછી હું ભજન કરીશ.” આ પ્રમાણે કરેલા નિશ્ચયવાળી તેણીને વિસર્જન કરી અને તે તાપસી થઈ. પછી સમાન વયવાળા મિત્રો વડે હાંસી કરાતા અને સંતાપને પામેલા તે હેમદને વિચાર્યું કે-“હવે મારા આ જીવિતને ધિક્કાર છે કે જેથી પાપી અને દુર્ણ શીલવાળી આણે પણ આ પ્રમાણે મારે ત્યાગ કર્યો, તે હવે મારે પણ ઉગ્ર તપ કરે રોગ્ય છે.” ત્યાર પછી આ સર્વ વૃત્તાંત માતાપિતાને કહીને તે નીકળી ગયે, અને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy