SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા સ્વીકારવા માટે પરમાત્માની માતાપિતા પાસે માગણી. [૧૬૩] - ભાવનાના સારવાળી બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી સમગ્ર જગત વિગ અને સાગ વિગેરેરૂપી અગ્નિવડે વ્યાસ જોયું, તથા દેહરૂપી પાંજરું પણ ધિર, અસ્થિ અને ચરબી વિગેરેવડે બંધાયેલું જોયું. તથા દુઃખરૂપી વૃક્ષથી ઉત્પન્ન થયેલી શાદિક વિષરૂપી કદલી (કંદ) દુર્ગતિરૂપી ફળવાળી પ્રભુએ જ્ઞાનરૂપી નેત્રવડે જોઈ. દેવેંદ્ર અને નરેંદ્રની પણ મોટી લક્ષ્મીને પણ એક ક્ષણવારમાં જ સૌદામિની( વીજળી)ની જેમ નાશ પામવાના સ્વભાવવાળી સારી રીતે જોઈ. તથા યુવતી(સ્ત્રી)જનના સંગમનું સુખ પણ પ્રભુએ કિપાક વૃક્ષના પાકેલા ફળની જેવું આરંભમાં મધુર અને પરિણામે વિષ જેવું જોયું ( જાય). આ પ્રમાણે વિવિધ પ્રકારની ભાવનાને ભાવતા અને સંસારના સુખથી વિમુખ થયેલા ભગવાનને રાત્રીના પાછલા ભાગે નિદ્રા પ્રાપ્ત થઈ. અનકમે રાત્રિ પ્રભાત જેવી થઈ ત્યારે પ્રલય કાળના મેઘની ઘોષણા જેવા પ્રભાતના મંગલ વાજિંત્ર વાગવા લાગ્યા. (તે વખતે આવા શબ્દ થયા) હે પ્રભુ! તમે જ આ જગતના મંગલના નિધાન છે. તમે જ કુરાયમાન ઉદયવાળા સૂર્ય છો, તમે જ મોક્ષનગરીના પ્રવેશ વખતે મોટા કલ્યાણકુંભ છે, ભવરૂપી કૂવામાં પડતાં દુઃખથી વ્યાપ્ત જનોને હસ્તનું અવલંબન દેવામાં તત્પર મહાબંધુરૂપ તમે એક જ છે, સર્વ તીથિકેએ મળીને જે માગ કહ્યો છે, પણ તથા પ્રકારે ઉપદેશ કર્યો (દેખાડ) નથી અને મુગ્ધ બુદ્ધિવાળા પ્રાણીઓએ જે ઘણે પ્રકારે જાણ વાને પણ શકય નથી, તે માર્ગ (મોક્ષમાર્ગ) હે ભુવનના એક નાથ ! ઘણા મોટા મોહરૂપી અંધકારવાળા આ જગતને વિષે મોક્ષના અથી પ્રાણીઓને સૂર્યની જેવા તમે જ પ્રકાશ કર્યો છે.” ઇત્યાદિ મંગલાવલિને બોલવામાં વાચાલ મુખવાળાએ કહ્યું ત્યારે ભુવનગુરુ શમ્યા મૂકીને પ્રભાતિક (પ્રભાત કળાની) ક્રિયા કરીને સભામંડપમાં જઈને બેઠા. ત્યાં મંગળ - કાર્ય કર્યું. ત્યાર પછી સેવકવર્ગને પૂછીને (કહીને ) ભગવાન માતાપિતાની સમીપે ગયા. તેમના ચરણકમળને પ્રણામ કરી નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા કે-“હે માતાપિતા ! હવે મારું મન સંસારવાસથી ઉદ્વેગ પામ્યું છે, તેથી ઘણું અસંખ્ય અને તીક્ષણ દુઃખના સમૂહવડે વ્યાપ્ત, સ્વભાવથી જ નાશવંત, સ્વભાવથી જ પરિણામને વિષે વિરસ અને સ્વભાવથી જ વિરહના દુઃખથી વ્યાપ્ત આ અસાર સંસારને વિષે હવે હું એક ક્ષણ માત્ર પણ રહેવાને ઉત્સાહ કરતો નથી, તેથી નેહના અનુબંધને મૂકીને મને છૂટે કરો (રજા આપો), કે જેથી હું સર્વ સંગને ત્યાગ કરી, ચારિત્રને અંગીકાર કરું.” આ પ્રમાણે સાંભળીને સ્નેહ સહિત પ્રભુને આલિંગન કરીને રાજાએ ગદગદ્દ વાણીવડે કહ્યું કે-“હે પુત્ર! તે આ અકસ્માત્ વજદંડવડે મરતકને તાડન કરવા જેવું, નહીં દેખેલા મગરવડે શરીરને સૂર્ણ કરવાના ઉપક્રમ જેવું, પૂર્વે નહિં સાંભળેલ હાલાહલ વિષની જેવું અને સર્વથા ચેતના જીવ)ને નાશ કરનારું વચન કહ્યું છે. આવું તારું વચન શ્રવણના વિષયને પામ્યા છતાં પણ જે મારા વડે જીવાય છે, તે ખરેખર આ શરીર
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy