________________
લેાકાંતિક દેવેાની પરમાત્માને પ્રાના.
[ ૧૬૧ ]
પૂરાયેલાની જેમ સે'કડા ભયરૂપી કલૈલેાડે વ્યાસ આ સંસારસાગરને આળગવા શક્તિમાન થતા નથી, તેથી કરીને હવે મારે આ ગૃહવાસના બંધવડે સર્યું. શું પરમા છે ?-કમળની જેવા સ્વચ્છ ઉછળેલા સુગંધના સમૂહવાળું જે પ્રમદાનું મુખ છે, તે જ આ જગતમાં ખંધનનું સ્થાન છે. તેને જ વિરાગીજન કપાળની જેમ જાણે છે. તથા વિલાસના મંડનવડે 'મનેાહર પુષ્ટ સ્તન પણ પુગળના પરિણામની ભાવનાવડે જૂઠ્ઠું' ભાસે છે. કતિને વિષે મળેલ અને રત્નના મોટા અલંકારવાળા નિતરૂપી બિંબ પણ વિષ્ઠા અને મૂત્રના ભાજનની જેમ જરા પણ મનને આનંદ આપતું નથી. વળી મણિના સમૂહવડે શાભિત એ કુંડળવડે સહિત જે આ સ્ત્રીનુ મુખ છે, તે પણ પરમાર્થના વિચાર કરવાથી સસારમાર્ગોમાં જનારાને રથના જેવું જણાય છે. તથા સ્ત્રીની જે આ ત્રિવળીરૂપી માલા કહેવાય છે, તે પણ ભવસમુદ્રના તરંગાની શ્રેણી છે એમ બુદ્ધિમાન મનુષ્યે જાણવા ચેાગ્ય છે. તથા સ્ત્રીના જે આ કેળના સ્તંભ જેવા મનેાહર સાથળરૂપી દંડ લાદ્યા કરાય છે, તે પણ તત્ત્વના વિચારથી મહામાહરૂપી મદેાન્મત્ત હાથીના દાંત જેવા મુશળ સમાન છે એમ જાણવું. તથા મૃગાક્ષી( સ્ત્રી )તુ. જે આ મનેાહર ચરણકમલનું યુગલ છે, તે પણુ રણરણાટ કરતા મણના નૂપુરના મિષથી દુર્ગતિ તરફ ચાલેલા પ્રાણીના સમૂહને જાણે કહેતુ હાય તેમ દેખાય છે. ”‘આ પ્રમાણે વિચાર કરતા ત્રણ ભુવનના સ્વામીને તત્કાળ માટેા વૈરાગ્ય વિકાસ પામ્યા, તેથી સિદ્ધિરૂપી વધૂ ઉપર રાગ ખંધાયા, સંસારના અસાર સુખની આશંસા રહિત થયા, સખીજનને વિષે પણ દષ્ટિ નાંખતા નહાતા, પાસે રહેલા પ્રિયતમ લેાકને પણ જોતા નહાતા, નિરવદ્ય રાજના સુખને વિષે પણ રાગી થયા નહીં.
આ પ્રમાણે જેટલામાં રહ્યા છે તેટલામાં અધિજ્ઞાનવડે જગદ્ગુરુની દીક્ષા ગ્રહણ કરવાના સમય જાણીને તે કહેવાના અધિકારવાળા બ્રહ્મલેાકના નિવાસી સારસ્વત અને આદિત્યાદિક દેવે આવીને પ્રભુના ચરણકમળને પ્રણામ કરીને આદરપૂર્વક વિન ંતિ કરવા લાગ્યા કે
“ હે નાથ ! ક્રીડા માત્રથી જ વિકાસ પામેલા નિળ જ્ઞાનના પ્રકાશથી જગતને જોનારા આપના પાસે ઈંદ્ર પણ કહેવાને શક્તિમાન નથી, તેા પણ પેાતાના ( અમારા ) અધિકાર છે, તેથી હું દેવ! અમે કાંઇક એટલીએ છીએ, કે-સ’સારરૂપી સમુદ્રમાં પડેલા આ અનાથ પ્રાણીઓનેા ઉદ્ધાર કરા. તથા મિથ્યાત્વરૂપી મેાટા અંધકારથી જેની હૃષ્ટિના પ્રચાર રૂધાયા છે એવા આ જગતને આપ ઉપદેશરૂપી સૂર્યનાં કિરણેાના સમૂહવડે નિર્મળ આલેાક( પ્રકાશ )વાળું કરી. મોટા પાખડી લેાકેાની સર્વ મ`ડળી સૂર્ય જેવા આપની પાસે આવી હોય તે ખદ્યોતની ક્રાંતિને પામે. હું જગદ્ગુરુ ! ભન્યજીવારૂપી સાને હવે સારા જ્ઞાન, ચારિત્ર અને દર્શીન( સમ્યકત્વ )લક્ષણવાળા મેાક્ષમાર્ગને પ્રગટ કરીને આપ સાર્થવાહપણું કરા. સ` મિલનતાએ કરીને રહિત (ઉજ્જવળ ) આપના યશ ક્ષીરસાગરથી અત્યત ભરેલા હાય તેમ આ ભુવનને વિષે પ્રસરી. અમે ઘણુ છુ' કહીએ?
૨૧