________________
છે
કે પ્રભુને બીજો ભવ
અને લેભ ઉપર બે બ્રાહ્મણ પુત્રની કથા.
[૪૯ ]
છે?” ત્યારે તેમણે માતાપિતાને સર્વ વૃત્તાંત કહ્યો, પણ પિતાનું દુશ્ચરિત્ર કહ્યું નહીં. અથવા તે પ્રાયે કરીને મનુષ્ય પારકા દુશ્ચરિત્રને જ કહે છે. ત્યારે સાર્થવાહે તે બન્નેને ગ્રહણ કર્યા, અને પોતાના ઘરમાં ખાંડવું, રાંધવું અને પાછું લાવવું વિગેરે ઘરનું કામ કરવા માટે રાખ્યા. કરીયાણાના સમૂહને ગ્રહણ કરીને સાર્થવાહ ગર્જનપુર તરફ ચાર્યો, અને નિરંતર પ્રયાણ કરવાવડે જતો જતો તે જ અટવીને પામ્યા. અને તે જ વનનિકુંજની સમીપે તેણે આવાસ કર્યો. તે અટવીમાં ઈચ્છા પ્રમાણે ચરવા માટે ગધેડા, ઉંટ, બળદ અને ખચરને છૂટા મૂક્યા, તંબુઓ વિસ્તાર્યા, સાર્થના લોકો રાંધવા ને પકાવવામાં પ્રવર્યા. તે બને બ્રાહ્મણના પુત્રોને ઈંધણ લાવવા માટે મોકલ્યા, ત્યારે તે બને હાથમાં તીક્ષણ કુહાડીને ધાણુ કરી નશીબના દુષ્ટ યોગ વડે તે જ વનનિકુંજમાં ગયા. ત્યાં લાકડા કાપવા લાગ્યા, તેવામાં વિનાશનું અવશ્ય થવાપણું હોવાથી પૂર્વ સ્થાપન કરેલ નિધિના પ્રદેશમાં તે ગયા. તે વખતે તે બન્નેને વિરુદ્ધ ક્ષેત્રના પ્રભાવથી પરસ્પર વધ કરવાને પરિણામ (વિચાર) ઉછળે. અરે રે! મોટા મોહથી વ્યાપ્ત થયેલા, દરેક જન્મમાં દોષને પામનારા અને બૃહસ્પતિવડે પણ ન જાણી શકાય તેવા જીવોનું પરિણામને વિષે વિરસપાછું કેવું છે? તે તર્ક કરો. ચિરકાળથી સ્થાપન કરેલા નિધિને જાણતા નથી, અને ચિરકાળથી થયેલા વૃત્તાંતને જાણતા નથી, તે પણ તે પ્રદેશમાં આવેલાને તેવા પ્રકારને કેઈક વિરોધ થાય છે. અહો ! મેહ કે છે? આ કારણથી જ મોક્ષસુખમાં રસિક થયેલા સાધુઓને અનર્થના માર્ગરૂપ અને દુર્ગતિના માર્ગની જ્યઢક્કારૂપ ધન કહ્યું છે. તથા કજીયાને કીડા-વિલાસ કરવામાં કેળના ઘર સમાન, અરતિ (અપ્રીતિ) રૂપ મોરને નવા મેઘના ગજારવ સમાન અને અનીતિરૂપી નદીના સમુદ્ર સમાન ધનને કહ્યું છે. વિસ્તાર કરીને સર્યું. ત્યાર પછી તે બને બ્રાહ્મણપુત્ર પરસ્પર નાંખેલા અપેક્ષા રહિત તીર્ણ કુહાડાના ઘાતવડે ઘુમતા શરીરવાળા થઈને મરણ પામ્યા અને રત્નપુર નગરમાં કુરુદત્ત નામના શ્રેષ્ઠીની સ્ત્રીની કુક્ષિને વિષે યુગલ પુત્રપણે ઉત્પન્ન થયા. એગ્ય સમયે તેમને જન્મ થયે. પછી તે મોટા થયા ત્યારે વણિક જનને યોગ્ય કળાને સમૂહ તેમને શીખવ્યો. સમાન જાતિવાળા વણિકની પુત્રીઓ સાથે તેમના લગ્ન કર્યા. દ્રવ્યનું ઉપાર્જન કરવા પ્રવર્યા, પરસ્પર સ્નેહથી સર્વ કાર્યને વિચાર કરતા તે બને ગાડાને સમૂહ એકઠા કરીને નગરજનરૂપી પરિવાર સહિત ઘણી વેચવાની વસ્તુઓ લઈને પૂર્વ દેશમાં ગયા. ત્યાં કરીયાણાની અદલબદલ કરી, પરંતુ કાંઈ પણ લાભ થયો નહીં. તેથી “અહો ! આપણે પુરુષાર્થ (ઉદ્યમ) નિષ્ફળ થયે.એમ જાણું ખેદ પામેલા તે બને ચિત્તમાં વિચારવા લાગ્યા–
પુરુષાર્થ કર્યા છતાં પિતાના જીવિતને ત્રાજવા ઉપર મૂકયા છતાં, સમુદ્રને તર્યા છતાં અને વનને ઉલંઘન કર્યા છતાં પણ જેમણે સુકૃત (પુણ્ય) ઉપાર્જન કર્યું નથી, એવા