________________
અને ત્રીજી વાર ગૃહસ્થ પિતાના ઉદ્દેશથી છડ્યા હોય અને પિતાના માટે રાંધ્યા હોય તે તે ભાત સાધુને કલ્પી શકે છે.
જે ડાંગર ત્રીજી વાર સાધુને નિમિત્તે છડીને ચાખા કરેલા હોય, તે ચેખા ગૃહસ્થ પિતાના માટે રાંધ્યા હોય તે તે તૈયાર થયેલા ભાત એક બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથોને આપ્યા એમ યાવત એક હજાર
સ્થાને આપવામાં આવ્યા હોય ત્યાં સુધી તે ભાત સાધુને કપે નહિ, પરંતુ એક હજાર પછીના સ્થાને ગયા હોય તે તે ભાત સાધુને કલ્પી શકે. કેટલાક આચાર્ય એમ કહે છે કે લાખે ઘેર જાય તે પણ કપે નહિ.
પાણી માટે–સાધુને ઉદ્દેશીને પાણી માટે કૃ દવાની ક્રિયાથી માંડીને છેવટે ત્રણ ઉકાળા થયા પછી જ્યાં સુધી નીચે ઉતારવામાં ન આવે ત્યાં સુધીની ક્રિયાને કત કહેવાય અને નીચે ઉતારવાની ક્રિયાને નિષ્ઠિત કહેવામાં આવે છે.
આથી એમ નક્કી થાય છે કે “સચિત્ત વસ્તુને અચિત્ત બનાવવાની શરૂઆત કર્યા પછી છેવટે અચિત્ત બને ત્યાં સુધી જે સાધુને ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય તે તે વસ્તુ સાધુને કલપી શકતી નથી, પરંતુ જે સાધુને ઉદ્દેશીને શરૂ કર્યા પછી અચિત્ત બનતાં પહેલાં સાધુને ઉદ્દેશ ફેરવીને ગૃહસ્થ પિતાના માટે વસ્તુ તૈયાર કરે-અચિત્ત કરે તે તે વસ્તુ સાધુને કલ્પી શકે.
વળી અચિત્ત વસ્તુને અગ્નિ વગેરેના આરંભથી સાધુને ઉદ્દેશીને પકવવામાં આવે તે તે વસ્તુ સાધુને કપે નહિ, પરંતુ તે અચિત્ત વસ્તુ પકવવાની શરૂઆત સાધુને ઉદ્દેશીને