________________
: ૧૪ :
અને ગ્રાસમાં સચેાજનાદિ દોષ ન લાગે તેનુ ધ્યાન રાખવાનું છે.
૪ સંચાજના—એટલે રસના સ્વાદ માટે પુરી શિખડ આદિ સાથે મેળવવાં તે.
તે દ્રવ્ય સયાજના અને ભાવ સચૈાજના એમ બે પ્રકારે છે. અર્થાત્ ઉદ્દગમ ઉત્પાદનાદિ દાષા ક્યા ક્યા છે, તે જાણીને ટાળવાની ગવેષણા કરવી, તેમાંયે શકિતાદિ દોષો હોય તે ટાળીને આહાર ગ્રહણ કરવા, આહાર ગ્રહણ કર્યા પછી સંયાજનાદિ દોષા ન લાગે તેમ આહાર વાપરવા એ ઉદ્દેશ છે.
૫ પ્રમાણ—આહાર કેટલા વાપરવા તેનું પ્રમાણુ,
૬ અગાર—સરસ આહારનાં કે આહાર મનાવનારનાં વખાણ કરવાં.
૭ ધુમ્ર—ખરાબ આહારનાં કે આહાર બનાવનારની નિંદા કરવી.
૮ કારણ—કયા કારણે આહાર વાપરવા અને કયા કારણે આહાર ન વાપરવા ?
પિડનિયુક્તિના આ આઠ દ્વારા છે. તેનુ` ક્રમસર વર્ણન કરવામાં આવશે.
શાસ્ત્રકારે ‘પિડ' શબ્દના છ નિક્ષેપા સમજાવ્યા છે, તેમાંથી અહીં પ્રસ્તુત પિંડના એ પ્રકાશ કહીશું, ૧ દ્રવ્યપિંડ અને ૨ ભાવપિડ.
તેમાં દ્રવ્યપિંડના પ્રકાશ—