________________
: ૩૧૦ :
ખરાખર કરી શકતે! ન હેાય તે સાધુ અપવાદે અશુદ્ધ આહાર વિધિપૂર્વક ગ્રહણ કરે.
ઉત્સગ—એટલે શાસ્ત્રમાં કહ્યું હાય, તેમાં કાંઇ પણ છુટછાટ વિના તેનુ અણિશુદ્ધ પાલન કરવું તે.
અપવાદ—એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ છુટછાટ લઇને આચરણ કરવું તે. કયારે ઉત્સનું પાલન કરવું? કયારે અપવાદનું પાલન કરવું? તે ગીતા સમજી શકે છે. ગીતા એટલે જેએએ સારી રીતે છેદ આદિ સૂત્રેા જાણ્યાં છે તે સાધુએ અર્થાત્ પિંડની એષણા, વસ્ત્રની એષણા, પાત્રની એષણા, શય્યાની એષણા જણાવનારા છેદ સૂત્રા જેમણે જાણેલા છે, તે ગીતાથ કહેવાય છે.
ગીતા સાધુ વિધિપૂર્વક અપવાદનું આચરણ કરે તે વિરાધના પણ દોષવાળી થતી નથી. કેમકે તે શાસ્ત્રની વિધિ જાણે છે. નિશીથસૂત્રમાં યતનાનું લક્ષણ કહ્યું છે કે—
रागदोस वित्तो जोगो असदस्स होइ जयणा उ । रागदोसाणुगओ जो जोगो स अजयणा उ ॥ १०५ ॥
રાગ-દ્વેષથી રહિત અસઠભાવે-કપટ વિના જે મેળવવું તે જયા કહેવાય, જ્યારે રાગ-દ્વેષપૂર્વક જે વ્યાપાર સેવે તે અજયણા કહેવાય છે.
ગ્લાન આદિ માટે વસ્તુની જરૂર પડે ત્યારે ગીતાર્થ સાધુ પચક હાનીથી વસ્તુ મેળવે તે આ રીતે—.
સૌ પ્રથમ શુદ્ધ વસ્તુની તપાસ કરે. શુદ્ધ ન મળે તે