________________
? શાંત પ્રવર્તિની તપસ્વીની દીર્વચારિત્રી પૂર્વ સાદવીરત્ન
શ્રી કલ્યાણશ્રીજી મહારાજ જીવન-પરિચય
સં. ૧૯૫ર ના કારતક વદ ૯ ને પુણ્ય દિવસ હતું, જ્યારે આપણાં આ સાધ્વીરત્નને શુભ જન્મ થયે હતે. એમનું સંસારી નામ મણિબેન હતું, એમના પૂ. પિતાશ્રીનું નામ શેઠ મગનલાલ દલપતભાઈ વડવાળા અને પૂ. માતુશ્રીનું નામ મુક્તાબાઈ હતું. જન્મ સ્થાન હતું દર્શાવતી યાને ડભાઈ,
બચપણથી જ આ બાલિકાના સંસ્કાર ઉત્તમ હતા. ધર્મરૂચિ, વિદ્યારૂચિ, તાપરૂચિ, દાનરૂચિ, સેવારૂચિ, શીલરૂચિ, ત્યાગરૂચિ વગેરે શુભ સંસ્કારોની મુડી જાણે પૂર્વ જન્મની સાથે લઈને આવેલ હોય તેમ એમને જન્મથી વરેલી હતી. તે જમાનામાં શિક્ષણને પ્રસાર આજના જેટલે નહિ, અને કન્યાઓ માટે તે બીલકુલ નહિ કહીએ તો ચાલે, તથાપિ માતા-પિતા, ભાઈઓ, બેને, બધું કુટુંબ ઉચ્ચ કેટિનું સંસ્કાર ધાર્મિક અને શિક્ષણપ્રેમી હોઈ તેઓને વ્યાવહારિક તેમજ ધાર્મિક અભ્યાસ ઠીક ઠીક કરાવ્યું હતું.' | પિતાશ્રી મગનભાઈ તેઓને આઠેક વર્ષનાં મુકી દિવંગત થયા હતા, માતા અને ભાઈઓની શીળી છાયામાં તેમની જીવનવેલ વિકસવા લાગી. તેમનાથી મોટા બે અને નાના એક એમ તેમને ત્રણ સહેદરે હતા અને તેમનાથી મેટી બે બેને