SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૭ ; પહેલા ત્રણ ભાંગા ઉપર રહેલી વસ્તુ સાધુને કલ્પ નહિ, ચોથા ભાંગા ઉપર રહેલી વસ્તુ કપે. આમાં માટી વગેરે ઉપર સીધાં જ પકવાન્ન, ખંડકાદિ રહેલા હોય તે અનંતર અને વાસણમાં રહેલ પકવાન્નાદિ પરંપર પૃથ્વીકાય નિશ્ચિત કહેવાય. પાણી ઉપર વૃતાદિ અનંતર અને તે જ વાસણ વગેરેમાં રહેલ પરંપર અપકાય નિશ્ચિત બને છે. અગ્નિકાય ઉપર પૃથ્વીકાય આદિ સાત પ્રકારે નિશ્ચિત હેય છે. ૧ વિધ્યાત, ૨ મુમ્મર, ૩ અંગાર, ૪ અમાસ, ૫ પ્રાપ્ત, ૬ સમજવાલ અને ૭ વ્યુત્ક્રાંત. ૧ વિધ્યાત–સ્પષ્ટ રીતે પહેલા અગ્નિ દેખાય નહિ, પાછળથી ઈંધણ નાખતા સળગતે દેખાય. ૨ મુસ્કુર–ફીક્કા પડી ગયેલા, અર્ધબુઝાયેલા અગ્નિના કણિયા. ૩ અંગાર–જવાળા વિનાના સળગતા કેલસા. ૪ અમાસ–ચૂલા ઉપર વાસણ મૂકેલું હોય તેને અગ્નિની જવાળા સ્પર્શ કરતી ન હોય. ૫ પ્રાસ–અગ્નિની જવાળાઓ વાસણને સ્પર્શ કરતી હોય. ૬ સમજવાળા–જવાળાએ વધીને વાસણના કાંઠા સુધી પહોંચેલી હોય. '૭ વ્યુત્ક્રાંત-જ્વાળાઓ એટલી વધેલી હોય કે વાસ. ની ઉપર જતી હોય.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy