________________
: ૨૪૭ ;
પહેલા ત્રણ ભાંગા ઉપર રહેલી વસ્તુ સાધુને કલ્પ નહિ, ચોથા ભાંગા ઉપર રહેલી વસ્તુ કપે.
આમાં માટી વગેરે ઉપર સીધાં જ પકવાન્ન, ખંડકાદિ રહેલા હોય તે અનંતર અને વાસણમાં રહેલ પકવાન્નાદિ પરંપર પૃથ્વીકાય નિશ્ચિત કહેવાય.
પાણી ઉપર વૃતાદિ અનંતર અને તે જ વાસણ વગેરેમાં રહેલ પરંપર અપકાય નિશ્ચિત બને છે.
અગ્નિકાય ઉપર પૃથ્વીકાય આદિ સાત પ્રકારે નિશ્ચિત હેય છે. ૧ વિધ્યાત, ૨ મુમ્મર, ૩ અંગાર, ૪ અમાસ, ૫ પ્રાપ્ત, ૬ સમજવાલ અને ૭ વ્યુત્ક્રાંત.
૧ વિધ્યાત–સ્પષ્ટ રીતે પહેલા અગ્નિ દેખાય નહિ, પાછળથી ઈંધણ નાખતા સળગતે દેખાય.
૨ મુસ્કુર–ફીક્કા પડી ગયેલા, અર્ધબુઝાયેલા અગ્નિના
કણિયા.
૩ અંગાર–જવાળા વિનાના સળગતા કેલસા.
૪ અમાસ–ચૂલા ઉપર વાસણ મૂકેલું હોય તેને અગ્નિની જવાળા સ્પર્શ કરતી ન હોય.
૫ પ્રાસ–અગ્નિની જવાળાઓ વાસણને સ્પર્શ કરતી હોય.
૬ સમજવાળા–જવાળાએ વધીને વાસણના કાંઠા સુધી પહોંચેલી હોય.
'૭ વ્યુત્ક્રાંત-જ્વાળાઓ એટલી વધેલી હોય કે વાસ. ની ઉપર જતી હોય.