________________
.
9) કળા, સાહિત્ય અને સંસ્કારના અનુરાગી- છે. સ્વ. શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ શેરદલાલ
એક જીવન-પરિચય
સં ૨૦૦૨ સાલની વાત છે. સ્વર્ગસ્થ શેઠશ્રી જેસીંગભાઈ પિતાના બે લાડકવાયા સંતાને શ્રી સારાભાઈ તથા મનુભાઈને લઈ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજીને વંદન કરવા ગયા હતા. ત્યાં વાતમાં ને વાતમાં તેઓશ્રીએ પૂ. આચાર્ય મહારાજશ્રીને પિતાને શુભ સંકલ્પ જણાવતાં કહ્યું–
“હું મારી મિલકતના અમુક ભાગની રકમના વ્યાજમાંથી જે રકમ આવે તે રકમ સાતક્ષેત્રમાં વાપરવા ઈચ્છું છું.”
પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આ શુભ સંકલ્પને આશીર્વાદ આપ્યા અને આ સખી ને ઉદાર મનના શેઠશ્રીએ તરત જ પિતાની અમુક મિલ્કતનું ટ્રસ્ટ કરી નાખ્યું. [ આજે તે તેઓ દિવંગત થયા છે, પરંતુ તેમના એ પુણ્યકાર્યની દિવ્યજ્યોત આજે પણ ઝગમગી રહી છે.
શેઠશ્રીને જન્મ સં. ૧૨ ના ચૈત્ર વદ આઠમના રોજ અમદાવાદમાં થયેલ હતું. તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ કાળીદાસ ભીખાભાઈ અને પૂજ્ય માતુશ્રીનું નામ જેકેરબાઈ હતું.