________________
: ૧૩ર :
દષ્ટાંત કઈ ગામમાં ધનાવહ આદિ ઘણા શ્રાવકે અને ધનવંતી આદિ ઘણી શ્રાવિકા રહેતી હતી. આ બધા એક જ કુટુંબના હતા.
એક વખતે લગ્નપ્રસંગ પતી ગયા બાદ લાડવા આદિ ઘણી મીઠાઈ વધી. આથી તેઓએ વિચાર કર્યો કે “સાધુને આપવામાં આવે તે ઘણું પુણ્ય થાય, કેટલાક સાધુએ દૂર રહેલા છે. જ્યારે કેટલાક સાધુ નજીકના ગામમાં રહેલા છે પણ વચમાં નદી છે એટલે અહીં ભિક્ષા માટે આવી શકે નહિ. કદાચ આવી જાય તે ઘણું મીઠાઈ જૂએ, એટલે સાચુ કહેવા છતાં આષાકર્મ માનીને લે નહિ, માટે સાધુ રહેલા છે તે ગામમાં જઈને સાધુને ખબર ન પડે કે “આ મીઠાઈ વહેરાવવા માટે લાવેલા છે. એ રીતે સાધુને વહરાવીએ.”
આ વિચાર કરીને તે લાડવા આદિ લઈને તેઓ સાધુ રહેલા હતા તે ગામમાં આવ્યા. આવીને વિચાર કર્યો કે “જે સાધુને બોલાવીને આપશું તે અશુદ્ધ ધારીને લેશે નહિ, વળી બ્રાહ્મણ આદિને આપવા માંડીએ તે તે સાધુના જોવામાં ન આવે અથવા તે શંકા પડે તેય ન લે. માટે જે રસ્તે સાધુએ થંડીલ આદિ માટે જાવ આવ કરતા હોય ત્યાં સાધુઓ જોઈ શકે તે રીતે બ્રાહ્મણ આદિને આપીએ.”
આ વિચાર કરીને જે રસ્તે સાધુએનું જવું આવવું હતું તે રસ્તે કેઈ એક સ્થાને જઈને બ્રાહ્મણ આદિને થોડું થોડું આપવા લાગ્યા.