________________
: ૧૦૧ :
વ્યવહારમાં પણ દૂરથી અશુચીની ગંધ આવતી હોય તે લેકે તેને બાધ ગણતા નથી, તેમ વસ્તુને પરિહાર કરતા નથી. જે અશુચી પદાર્થ કઈ વસ્તુને લાગી જાય છે તે વસ્તુને ઉપયોગ કરતા નથી, પણ ગંધ માત્રથી તેને ત્યાગ કરાતું નથી. ઝેરની ગંધ દૂરથી આવે તેથી માણસ મરી જતે નથી. તેમ ગંધ, ધૂમાડા વગેરેથી સૂફમપૂતિ બનેલ આહાર સંયમી આત્માને ત્યાગ કરવા યોગ્ય થતું નથી, કેમકે તે નુકશાન કરતું નથી.
બાદરપૂતિની શુદ્ધિ કયારે થાય?–ઈધન, ધૂમાડે, વરાળ, ગંધ તે સિવાય સમજે કે એકમાં આધાકર્મી રાંધ્યું, પછી એમાંથી તે આધાકમી કાઢી નાખ્યું, તેને ધોયું નથી, એટલે તે આધાકમીંથી ખરડાએલું છે, એમાં બીજી વખત શુદ્ધ આહાર રાંધે હેાય કે શુદ્ધ શાક વગેરે મૂક્યું હોય, બાદ તે વાસણમાંથી તે આધાકમ આહાર આદિ દૂર કર્યા પછી ધયા વિના ત્રીજી વખત પણ એવું કર્યું તે આ ત્રણ વખત રાંધેલ પૂતિકર્મ થયું. પછી તે કાઢી નાખીને એ જ વાસણમાં ચેથીવાર રાંધવામાં આવે છે તે આહારપૂતિ થતું નથી, માટે કલ્પી શકે છે. હવે જે ગૃહસ્થી પોતાના ઉદ્દેશથી એ વાસશુને જે નિરવયવ કરવા માટે ત્રણ વખત બરાબર પેઈને પછી તેમાં રાંધે તે તે સુતરાં કલ્પી શકે, એમાં શંકા જ શું?
पढमे दिणम्मि कम्मं तिनि उ पुइ कयकम्मपायघरं । पूइ तिलेवं पीढरं कप्पइ पायं कयतिकप्पं ॥ ३१॥
(પિં. નિ. ૩૬)