________________
: ૮૬: સ્વાધ્યાયમાં રક્ત હોય છે અને સંસારસ્વરૂપને યથાવસ્થિતજેવું છે તેવું નિરંતર વિચારે છે, આથી તેઓ દુઃખરૂપ સંસારથી વિરક્ત થઈ મોક્ષની સાધનામાં એક ચિત્ત રહે છે, આચાર્યાદિની શક્તિ મુજબ વૈયાવચ્ચમાં ઉઘુક્ત રહે છે, વળી દેશના લબ્ધિવાળા ઉપદેશ આપીને ઘણે ઉપકાર કરે છે તથા સારી રીતે સંયમને પાળનારા છે. આવા મહાત્માઓને સારે આહાર જ્ઞાનાદિમાં સહાયક બને, આ માટે આહાર તેમને જ્ઞાનાદિકમાં સહાયક થાય તે મને માટે લાભ મળે. જ્યારે આ મારું શરીર અસાર પ્રાયઃ અને નિરુપયેગી છે, મારે તે જે તે આહારથી પણ નિર્વાહ થઈ શકે એમ છે.” આ ભાવના પૂર્વક મૂચ્છ રહિત તે આહાર વાપરતાં વિશુદ્ધ અધ્યવસાય થતાં ક્ષપકશ્રેણું માંડી અને વાપરી રહેતાં તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. - આ રીતે ભાવથી શુદ્ધ આહારની ગવેષણ કરતાં આધાકમ આહાર આવી જાય તે વાપરવા છતાં તે આધાકર્મીના કર્મબંધથી બંધાતું નથી, કેમકે તેણે ભગવંતની આજ્ઞાનું પાલન કરેલ છે.
દ્વાર દશમું
શંકા-સમાધાન શંકા–જે અશુદ્ધ આહારાદિને સાધુએ પિતે બનાવ્યા નથી, તેમ બનાવરાવ્યો નથી, તેમ જ બનાવનારની અનુમોદના કરી નથી તે આહારને ગ્રહણ કરવામાં દેષ છે?"