SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જીવસમાસ કાયગ હોય છે. અને વક્રિય કાયયોગ વાળા પણ છે. મિથ્યાત્વ વગેરે વિશેષણથી વિશિષ્ટ મનુષ્ય અને તિય ઔદારિક કાયયેગવાળા જ હોય છે. સંમૂચ્છિક મનુષ્યને સંકિલષ્ટપણા વડે અને વૈક્રિય લબ્ધિના અભાવથી તથા શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત હેવાછતાં પણ સકલ પર્યાપ્તિએ અપર્યાપ્ત અવસ્થામાં મરણને સંભવ હોવાથી ફક્ત ઔદારિક કાગ હોય છે. અપ્રમત વગેરે ગુણસ્થાનકવાળાને અતિ વિશુધિ હોવાથી વૈક્રિય વગેરે લબ્ધિઓને ઉપયોગ હોતું નથી. માટે તેમને વૈક્રિય શરીર હેતું નથી. ગર્ભજ તિર્યકરોને જ વૈક્રિય શરીર હોય છે. સંમૂચ્છિમ તિય ને તે વૈક્રિય લબ્ધિને અભાવ હોવાથી વૈક્રિય શરીર હેતું નથી. પ્રમત્ત ચૌદપૂર્વધર મહામુનિઓને આહારક કાયયેગ હોય છે. પ્ર. આહારકના પ્રારંભ કાલમાં જ લબ્ધિના ઉપયોગને સંભવ હોવાથી તેના કર્તાને - પ્રમત્તપણું હોય છે એમ અન્ય જગ્યાએ કહ્યું છે. આહારક શરીર બન્યા પછી ઉત્સુકતાની નિવૃત્તિ હોવાથી તે મહામુનિ અપ્રમત્ત પણ થાય છે. તે પછી આહારક કાયયોગ, પ્રમત્તને જ શા માટે કરો ? ઉં. સાચી વાત છે. પરંતુ અન્ય જગ્યાએ પણ જેઓનો આ મત છે કે આહારક શરીરના પ્રારંભમાં અને અને અંતમાં તે શરીરના કર્તા પ્રમત્ત જ હોય છે. લબ્ધિને ઉપગ હેવાથી. આ મત જ અહિં લીધે હોવાથી કેઈ પણ જાતને વાંધે રહેતે નથી. દૈકિય શરીરમાં પણ આ જ મતને લઈને જ અપ્રમત્તમાં ઐક્રિયશરીરને નિષેધ કરાય છે એમ વિચારી લેવું. પૂર્વમાં કહેલ મિયાત્વ વગેરે વિશેષણેથી યુક્ત દેવ વગેરે સર્વે અપર્યાપ્ત અવસ્થામાં જ્યાં સુધી શરીર-પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી તેને મિશ્ર કાયયેગવાળા હોય છે. દે અને નારકે અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિયમિશ્ર કાયસેગવાળા હોય છે. તેઓ અપર્યાપ્ત અવસ્થામાં મિયાદષ્ટિ, સાસ્વાદની અવિસ્તસમ્યક્ત્વી હોય છે. મિશ્ર ગુણઠાણાવાળા હોતા નથી. કારણકે અપર્યાપ્તને મિશ્ર ગુણઠાણાને અસંભવ છે. પ્ર. અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રગુણઠાણું તે ભવનું કે અન્યભવનું હોઈ શકે ખરૂં?' ઉ. અપર્યાપ્ત અવસ્થામાં પરભવ સંબંધી મિશ્ર ગુણઠાણું હોતું નથી કેમકે મિશ્રદષ્ટિને મરણનો અભાવ છે. 7 મિઝો કુળદુ શ૪ એ પ્રમાણે વચનથી તે ભવસંબંધી પણ હોતું નથી. કેમકે તે જ મિથ્યાષ્ટિપણામાં પૂર્વભવમાંથી આવ્યું હોય ત્યારે અપર્યાપ્ત દશામાં તેવા પ્રકારની વિશુદ્ધિને અભાવ હોવાથી મિશ્ર ગુણઠાણામાં જીવ જતે નથી. હવે સાસ્વદનપણમાં પૂર્વભવમાંથી આવ્યા હોય તે છ આવલિકા પછી જરૂર મિથ્યાત્વમાં જાય છે, પણ મિશ્રમાં જતા નથી. સમ્યકત્વપણામાં જે ઉત્પન
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy