SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શ ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાના જન પ્રમાણ પિતાના આત્મપ્રદેશેને દંડ શરીરમાંથી • બહાર કાઢે છે અને કાઢીને પૂર્વમાં બાંધેલ વક્રિયશરીર નામકર્મના જે સ્થવ પુદ્ગલો છે તેને નાશ કરે છે જેથી કહ્યું છે કે, “ક્રિયસમુદઘાત કરે છે. કરીને સંખ્યાતા જનનો દંડ કાઢે છે. કાઢીને બાદર પુદ્ગલોને ત્યાગ કરે છે આ સમુઘાત અંતર્મુહૂર્ત કાળનો જ છે તે પછી વૈક્રિયશરીરની સમાપ્તિ થવાથી પિતાના સ્વરૂપમાં આવે છે. પ તેજસ સમુદુઘાતઃ તેજ શબ્દ વડે તૈજસ શરીરના કારણરૂપ તૈજસ શરીર નામકર્મને પણ ઉપચારથી તેજસ શરીર કહેવાય છે તેથી તેજસ વિષયક જે સમુદ્દઘાત તે તેજસ સમુદઘાત એની પણ આ પ્રમાણે વિચારણા કરવી. જેમતેશ્યાની લબ્ધિવાળે સાધુ વગેરે ગુસ્સે થઈને સાત આઠ ડગલા પાછળ હટી જાડાઈથી શરીરપ્રમાણ અને લંબઈથી જઘન્ય પણે અંગુલને સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જન પ્રમાણુ પિતાના અનંતા તેજસશરીર નામકર્મને સ્કંધ વડે વીંટળાયેલ આત્મપ્રદેશને દંડ શરીર બહાર કાઢે છે તે પછી જેના પ્રત્યે કે ધ વખેરે ઉત્પન્ન થયેલ હેય તે મનુષ્ય વગેરેને બાળે છે. આ સમુદુઘાત પણ અંતમુહૂર્ત પ્રમાણને જ છે તે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં તેજસશરીર નામકર્મના ઘણા પુદ્ગલો નાશ કરે છે. તે અંતર્મુહૂર્ત પછી સમુદઘાતથી નિવૃત્ત થઈ સ્વરૂપસ્થ થાય છે. ૬ આહારક સમુઘાત-આહારકશરીર નામકર્મ વિષયક જે સમુઘાત આહારક તે સમુદ્દઘાત અથવા આહારક શરીર કરવાના સમયને જે સમુદ્દઘાત તે આહારક સમુદ્દઘાત. આ સમુદુઘાત વૈક્રિય સમુદ્રઘાતની જેમ જ સમજ. જેમ આહારક લબ્ધિવંત ચૌદપૂર્વ ઘર આહારકશરીર કરવાના વખતે જાડાઈથી શરીરપ્રમાણુ અને લંબાઈથી જઘન્યપણે અંગુલને સંખ્યાતભાગ અને ઉકૃષ્ટથી સંખ્યાતા એજનને પિતાના આ પ્રદેશને દંડ શરીરમાંથી બહાર કાઢે છે અને કાઢીને જે આહારકશરીર નામકર્મના પૂર્વમાં બાંધેલ ઘણા સ્થળ પુદ્ગલોને નાશ કરે છે આ પણ અંતમુહૂર્ત પ્રમાણ માત્ર જ છે અને અંતમુહૂર્ત પછી સમુદ્દઘાતથી જીવ નિવૃત્ત થાય છે. ૭ કેવલિ સમુદ્દઘાત : કેવલિઓને સમુદ્દઘાત તે કેવલિ સમુદ્દઘાત તે કરવાના વખતે કેવલિ ભગવંત અંતમુહૂર્ત સુધી ઉદીરણ આવલિકામાં કર્મને પ્રક્ષેપ કરવારૂપ વ્યાપાર રૂપ આર્જિકરણ કરે છે. તે પછી સમુદધાત કરે છે તે સમુદ્દઘાતને આ પ્રમાણે ક્રમ છે પહેલા સમયે પિતાના શરીરની જાડાઈ જેટલે અને લંબાઈથી ઊર્વકના અને અલકના અંત સુધી પહોંચતે છપ્રદેશના સમૂહ રૂપ દંડ કેવળજ્ઞાનના ઉપયોગ પૂર્વક કરે છે. બીજા સમયે તે તેજ દંડને પૂર્વ પશ્ચિમ બે દિશામાં ફેલાવવા વડે ચ્છિકના અંત સુવીને કપાટની જેમ કપાટ કરે છે. ત્રીજા સમયે તે જ કપાને
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy