SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જું સ્પર્શ પ્ર : લોકમાં રહેલ સર્વ સ્પર્શનીય પદાર્થો કહ્યા. ફક્ત આ કહો કે, આ કહેવાતા મિથ્યા દષ્ટિ વગેરે સ્પર્શક છે પોતાના સ્વરૂપમાં રહીને સ્પર્શે છે કે કઈ બીજી અવસ્થા વિશેષને પ્રાપ્ત કરી સ્પર્શે છે ? ઉ. ? બન્ને પ્રકારે સ્પર્શે છે. પ્ર. ? જે એમ છે તે પછી સ્વરૂપતા તે જણાય જ છે પણ અવસ્થા વિશેષ કઈ છે ? ઉ. : સાત સમુદ્યાત રૂપ અવસ્થા વિશે છે. પ્ર. : તે તે સાત સમુદ્દઘાત કયા છે? તે કહે છે. ' वेयणं कसाय मरणे वेउब्बि य तेयए य आहारे । केवलि य समुग्धाए सत्तय मणुएसु नायव्वा ॥१९२॥ ગાથાથ:- વેદના, કષાય, મરણ, ક્રિપ, તેજસ, બાહારક અને કેવલી સમુદ્રઘાત આ ' સાતે સમુઘાતો મનુષ્યોને જાણવા. (૧૨) ટીકાથઃ - એકીભાવ વડે ૩ત્ત પ્રબળતાથી ઘra -- એટલે વેદનીય વગેરે કર્મ પ્રદેશને હણવું એટલે નિજ કરવી. એકી ભાવને પ્રાપ્ત થવા પૂર્વક જીવને પ્રબ ળતાથી કર્મોને જે હણવું એટલે નિર્જરવું તે સમુદ્દઘાત તેમાં જીવને કોની સાથે એકીભાવને પ્રાપ્ત થવાનું છે. તે કહે છે જ્યારે વેદના વગેરે સમુદ્રઘાતને પામેલ છવ વેદના વગેરેના અનુભવના જ્ઞાનમાં પરિણમેલ હોય ત્યારે તે બીજા જ્ઞાનમાં અપરિણત હોય છે. માટે વેદના વગેરેના અનુભવજ્ઞાન સાથે જીવના એકપણાની પ્રાપ્તિ જાણવી. પ્ર. : પ્રબળતા પૂર્વકને ઘાત કેવી રીતે થાય છે.? ઉ. : જે વેદના વગેરે સમુદ્રઘાતને પરિણમેલો જીવ વેદનીય વગેરેના ઘણા કર્મ પ્રદેશને જે અન્યકાળે ભેગવવા યોગ્ય હતા તેને ઉદીરણુકરણ વડે ખેંચી, ઉદયમાં લાવી, ભગવર્ટ કરવા પૂર્વક નિર્જરે તે અવસ્થાને પ્રબળતા પૂર્વક વાત કહેવાય. આ પ્રમાણે સમુઘાતને તાત્પર્યાથે થયે. તે સમુદ્રઘાત વેદના વગેરેના ભેદથી સાત પ્રકારે છે તે આ પ્રમાણે વેદના સમુદ્રઘાત રકષાય સમુદૂઘાત ૩મારણાંતિક સમુદ્દઘાત કવૈકિય સમુઘાત પતૈજસ સમુદુઘાત આહારક સમુદુઘાત કેવલી સમુદ્ઘાત
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy