________________
શ્રીને જણાવ્યા છે. જયારે ઉપરોકત દશ કૃતિઓનું લેક પ્રમાણ લગભગ ૮૦ થી ૮૫ હજાર જેટલું થાય. તેથી આ દશ કૃતિ સિવાય જરુર અન્ય નાની મોટી બે-ચાર કૃતિઓની : રચના તેઓશ્રીએ કરી હોવી જોઈએ.
જીવસમાસ વૃત્તિ :જીવ સમાસ મૂળ ગ્રંથ ઉપર મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ૬૬૨૭ શ્લેક પ્રમાણુ વૃત્તિની રચના કરી છે. આ ગ્રંથમાં જે જે ઠેકાણે રૌદ્ધાંતિક માન્યતાઓ સાથે, ફેરફાર આવે છે તે તે ઠેકાણે વૃત્તિકારે તે તે માન્યતાઓને પન્નવણાદિ શાસ્ત્રો સાથે વિસંવાદ જણાવેલ છે વૃત્તિકારે દરેક સ્થાને પદાર્થોને સમાવેશ ટુંકમાં કરવા છતાં સરળતાથી પદાર્થોને બંધ થાય તે રીતે કરેલ છે. જરૂર પડી ત્યાં દષ્ટાંતે દ્વારા પણ તે તે પદાર્થોને સમજાવ્યા છે. પ્રસ્તુતગ્રંથ જીવસમાસવૃત્તિના અનુવાદ રૂપ છે. તેમાં દરેક વિષયે સ્પષ્ટ હેવાથી અત્રે વૃત્તિમાં આવતા વિષયોની માહિતી આપી નથી. અંતે પ્રશસ્તિમાં વૃત્તિકારે પિતાનું કુલ તથા ગચ્છના નામ દર્શાવતા એક એક શ્લેક આપ્યા છે ત્યારબાદ પિતાના મગુરૂદેવ શ્રી જયસિંહસૂરિજીને શાર્દૂલવિક્રિડીત છંદમાં શ્લોક આપેલ છે. જેમાં તેમના વિશિષ્ટ ગુણે જણાવે છે. પછીના ૬ શ્લેકમાં પિતાના ગુરુદેવ શ્રી અભયદેવ સૂ. મહારાજના સમ્યગજીવનનું વર્ણન કર્યું છે.
તાડપત્રપ્રતિ : મલધારી શ્રી હેમચંદ્ર સૂ. મહારાજે અનેક ગ્રંથની રચના તે કરી છે. પરંતુ જીવસમાસની સ્વરચિત વૃત્તિ તેમણે સ્વહસ્તે લખી છે. જેની તાડપત્રઐતિ ખંભાતના શાંતિનાથ પ્રાચીન તાડપત્રીય જૈન જ્ઞાન ભંડામાં રહેલી છે. આ ગ્રંથ તેઓશ્રીએજ લખેલ છે તે તે પ્રતિને અંતે આપેલી પુષ્પિકા પરથી જણાય છે.
"संवत् ११६५ चैत्रसुदि ५ सोमेऽयेह श्रीमदणहिल्लपाटके समस्तराजावलि विराजित महाराजा धिराज परमेश्वर श्री मज्जयसिंहदेव कल्याण, विजयराज्ये एवं काले प्रवर्तमाने यमनियमस्वाध्यायध्यानानुष्ठानरतपरमनैष्ठिक पण्डितश्वेतांबराचार्यभट्टारक श्रीहेमचन्द्राचार्येण पुस्तिका लि. लि. ॥" .
પૂ. આચાર્યશ્રી સ્વદેહે આજે આપણી સમક્ષ હાજર નથી પરંતુ અક્ષરદેહે આજે પણ બિરાજમાન છે એ આપણું પરમ સદ્ભાગ્ય છે. આ તાડપત્રપ્રતિના કુલ ૧૯૪ પત્રો છે.
દરેક તાડપત્રપ્રતિ કે હસ્તલિખિત પ્રતિઓન પોમાં જે અંક આપવામાં આવે છે. તે પ્રત્યેના આદિથી અંત સુધી ક્રમશ: ૧ ૨ એમ આપવામાં આવે છે. જયારે આ તાડપત્ર પ્રતિમાં પત્રક - પશ્ચાનુપૂવથી આપવામાં આવેલા છે, અર્થાત ગ્રન્થના અંતભાગથી ૧ ૨ એમ કમશઃ પત્રક આપતા
બંના આવભાગમાં અંતિમ પત્રાંક અપાયેલ છે. આમ થવાનું કારણ એ હોઈ શકે કે આ કન્ય સંપૂર્ણ સિંખાઈ ગયા બાદ તેના પત્રો આપવામાં આવ્યા હશે. પત્રાંક આપતી વખતે ગમે તે કારણે પાલે ભાગ ઉપર આવી ગયો હશે તેથી પશ્ચાનુપૂવથી પત્રાંકે લેખાડ્યા હશે.