SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧e. વખત સંજ્ઞા સંસીન (સંજ્ઞીઅસંશીને) વ્યવહાર કહેવાય છે, તે સંપૂર્ણપણે મોટેભાગે દીર્ઘકાલીકી સંજ્ઞાને આશ્રયી જાણવી. આથી અહિં પણ મને લબ્ધિ યુક્ત બધા પંચેન્દ્રિયે પણ સંસી કહેવાય છે. તે મને લબ્ધિ રહિત અસંજ્ઞી કહેવાય. આ પ્રમાણે સંજ્ઞો અસંજ્ઞીનું સ્વરૂપ બતાવ્યું હવે આ સંજ્ઞ-અસંસીમાં ગુણ સ્થાન રૂપ જીવસમાસોનું નિરૂપણ સૂત્રકાર જ કરે છે. अस्सण्णि अमणपंचिंदियंत सण्णी उ समण छउमत्था । नो सणिण नो असण्णी केवलमाणी उ विण्णेओ ॥१॥ ગાથાર્થ - અસંસીમાં મનરહિત પચેન્દ્રિય સુધીના છ, સંસીમાં મનસહિત પંચે દ્રિયોમાં ક્ષીણમેહ ગુણઠાણા સુધીનાં છો, કેવલજ્ઞાનીઓ સંસી નેઅસંજ્ઞા જાણવા. (૮૧) ટકાથ : ગાથામાં સત્તા એ પદ વિભક્તિને લેપ થવાથી થયું છે. એ પ્રમાણે બીજા સ્થાને પણ યથાગ્ય જાણવું. અસંસીમાગણમાં મેલબ્ધિ રહિત સંમૂચ્છિમ પંચેન્દ્રિય સુધીના છ હોય છે કે જેઓ મિથ્યાત્વ અને સાસ્વાદન રૂ૫ બે ગુણઠાણું સ્વરૂપ બે જીવસમાસવાળા છે. આ બે જીવસમાસમાં જ એકેન્દ્રિયથીલ ઈ મને બળ રહિત પંચેન્દ્રિય સુધીના હોય છે. પણ મિત્ર કે અવિરત સમ્યગ દ્રષ્ટિ વગેરે જીવસમાસે એકેન્દ્રિયથી મન રહિત પંચેન્દ્રિય માં કદી પણ લેતા નથી. તેનું તાત્પર્ય આ પ્રમાણે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, મને રહિત પંચેન્દ્રિય જીમાં જે મિથ્યા. દ્રષ્ટિ કે સાસ્વાદન ગુણઠાણાવત જીવે છે તે જ અસંજ્ઞી છે. મિશ્ર અને અવિરત ગુણસ્થાનક અસંજ્ઞી જીવોમાં તેવા પ્રકારની વિશુદ્ધિના અભાવે હોતા નથી. સાસ્વાદન ગુણસ્થાનક પણ અસંજ્ઞીમાં પૂર્વભવમાંથી આવેલા છમાં અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. પછી તે તે છે મિથ્યાત્વ ગુણઠાણને પ્રાપ્ત કરે છે. ગાથામાં 1 પુનઃ અર્થમાં છે. બહુવચન હોવાથી સાતમી વિભક્તિ ગાથામાં લેપ કર્યો છેમાટે ગાથામાં કહેલ “સંજ્ઞીનો સંજ્ઞીમાં એમ અર્થ કર. મને લબ્ધિ યુક્ત પંચેન્દ્રિય સંજ્ઞીમાં ગણાય છે. કયા મોલમ્બિવાળા પંચેન્દ્રિય સંજ્ઞીમાં ગણાય? મને લબ્ધિવાળા છદ્મસ્થ પંચેન્દ્રિયો કે જેઓ ક્ષીણ મેહુ ગુણસ્થાનક સુધી રહેલા છે તે સર્વ જીવે સંજ્ઞી ગણાય છે. છત્મસ્થ એટલે કેવળજ્ઞાન વગેરે ગુણેને જે ઢાંકે, તે જ્ઞાનાવરણ વગેરે કર્મો છમ કહેવાય. તે છમમાં જે રહ્યા હોય તે છમ, તે કદમ મનવગરના એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયે ણ છે. આથી તેમને દૂર કરવા માટે સમનસ્ક કહ્યું છે. તેથી આ પ્રમાણે નકકી થાય છે જે મનસહિત છદ્મસ્થ
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy