SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ઝવણમાસ काऊ काऊ तह काऊनील नीला य नीलकिण्हा य । किण्हा य परमकिण्हा लेसा रयणप्पभाइणं ॥७२॥ ગાથાથ-કાપાત, કાત, કાતિનીલ, નીલ, નીલકૃષ્ણ, કરણ, પરમકૃષ્ણ લેશ્યા રતનપ્રભા વગેરે સાતે નરક પૃથ્વીમાં હોય છે. (૭૨) રત્નપ્રભા નરકમાં ફક્ત એક કાપત લેશ્યા જ હોય છે. શર્કરપ્રભા નરકમાં કિલwતર કાપત વેશ્યા જ હોય છે. વાલુકાપ્રભા નરકમાં કેટલાક ઉપરના પ્રતિરોમાં કાપતલેશ્યા અને કેટલાક નીચેના પ્રતરમાં નીલ વેશ્યા હોવાથી કાપત અને નીલ લેગ્યા હોય છે. જેથી પંકપ્રભા નરકમાં નીલ વેશ્યા જ હોય છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલાક ઉપરના પ્રતિરોમાં નીલલેશ્યા અને નીચેના પ્રત્તરમાં કૃષ્ણલેશ્યા હોય છે. છઠ્ઠી તમપ્રભા નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે. અને સાતમી તમતમપ્રભા પૃથ્વીમાં અત્યંત કિલષ્ટતર પરમ કૃષ્ણલેસ્યા હોય છે. કહેલ ક્રમ પ્રમાણે રત્નપ્રભા વગેરે નારકેને આ લેસ્યા હોય છે. (૭૨) . . . હવે વૈમાનિમાં લેયાનું નિરૂપણ કરે છે. તે તે. તદ તે પહ હ ય પણસુઈ જે. सुक्का य परमसुक्का सक्कादिविमाणवासोणं ॥७३॥ ગાથાર્થ-તેજલેશ્યા, તેજલેશ્યા. તે પમલેશ્યા, પમલેશ્યા, પદ્મશુકલેશ્યા, અને શુકલલેશ્યા અને પરમશુકલ લેણ્યા શક વગેરે વિમાનવાસી દેવને આ કમે લેશ્યા હોય છે. (૭૩) ટીકા : શક એટલે સૌધર્માધિપતિ ઈન્દ્ર, તેના ઉપલક્ષણથી સૌધર્મ દેવલોક જાણો. તેથી સૌધર્મ વગેરે દેવલોકમાં રહેલા વિમાનવાસી દેવની તેજો વગેરે લેશ્યાનો ક્રમ આ પ્રમાણે જાણવો. સૌધર્મદેવલોકમાં ફક્ત એક જ તેજેશ્યા હોય છે. ઈશાન દેવલોકમાં કંઈક વિશુદ્ધતર તેલેક્ષા હોય છે. સનતકુમાર હેવલોકમાં કેટલાક અલ્પતર સમરિવાળા ચેડા દેને તેલેસ્થા અને બાકીના દેવને પદ્મલેશ્યા હોય છે. માહેન્દ્ર દેવલોકમાં ફકત પદ્મલ જ હોય છે. બ્રહ્મદેવલોકમાં ઘણા દેવને વિશુદ્ધ એવી પદ્મવેશ્યા હોય છે. અને અતિ મટી ઋદ્ધિવાળા ડાક દેને શુકલેશ્યા પણ હોય છે. લાંતકથી અચુત સુધીના દેવેને અને નવઝવેયકમાં શુકલલેસ્યા હોય છે. લાંતકથી મહાશુક્રમાં આ શુક્લ લેસ્યા ફક્ત વિશુદ્ધતર હોય છે. તેથી સહસારમાં વિશુદ્ધતમ હોય છે. એ પ્રમાણે નવમા સૈવેયક સુધી વિશુદ્ધ, વિશુદ્ધતર શુકલેશ્યા જાણવી. અનુત્તર વિમાનમાં પરમશુકલ લેયા એટલે અત્યંત વિશુદ્ધતર લેહ્યા હોય છે. આ પ્રમાણે આ ગાથાની વ્યાખ્યા કરી પરંતુ પ્રજ્ઞાપના વગેરે ગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે કે,
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy