SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમકાર आभोगे जाणतो करेइ दोसे अजाणमणभोगी। लोए जाणिज्जंतो असंवुडो संवुडो इयरो ॥ १ ॥ अच्छिमुह मज्जमाणो होइ अहासुहुमओ तहाबउसो. જાણતાં હોવા છતાં દેને સેવે તે આભેગ, અજાણતા સેવે તે અનાભોગ, જેના દોષોને કે જાણે તે અસંવૃત્ત, અને ન જાણે તે સંવૃત્ત, આંખ મોટું દેતાં યથાસૂક્ષ્મ બકુશ કહેવાય છે. આ બકુશે સામાન્ય રીતે અદ્ધિ-યશની ઈચ્છાવાળા, સાતા ગૌરવને આશ્રય કરનારા, અવિવિક્ત પરિવારવાળા તથા છેદપ્રાયશ્ચિત એગ્ય શબલ ચારિત્રવાળા જાણવા. અદ્ધિ એટલે ઘણું વસ્ત્ર પાત્ર વગેરેને લાભ તથા યશ એટલે પ્રસિદ્ધિ તેની ઈચ્છાવાળા, શાય એટલે સુખ ગૌરવ એટલે આદર તેમાં રહેલા અવિવિક્ત એટલે અસંયમથી અભિન્ન સમુદ્રણ (સાબુ) વગેરેથી જાંઘ વગેરે દેનારા, તેલ વગેરેથી શરીરને શણગાર કરનારા અને કાતરથી વાળની શભા કરનારા આવા પ્રકારના પરિવારવાળા તે અવિવિક્ત પરિવારવાળા કહેવાય. છેદપ્રાયશ્ચિતને યોગ્ય શબલ અતિચારોથી જે ચારિત્રને અત્યંત કબુર ડાઘાડુઘીવાળું કર્યું છે તે બકુશ શ્રમણ કહેવાય. કુશીલ –પ્રતિસેવન કુશીલ અને કષાયકુશલ એમ બે પ્રકારે કુશીલ શમણે છે. સંયમની જે સમ્યગ આરાધના તે સેવના, તેની જે પ્રતિપક્ષી–તે પ્રતિસેવના એટલે વિરાધના, તેના જે કુશીલ તે પ્રતિસેવન કુશીલ, સંજવલન ધ વગેરે કષાના ઉદયથી જે કુશીલતે કષાયકુશીલ. પ્રતિસેવના કુશીલ ૫ પ્રકારે છે. ૧ જ્ઞાન ૨ દર્શન ૩ ચારિત્ર ૪ લિંગ પ્રતિસેવક અને ૫ સુમ પ્રતિસેવક. ૧. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ વિ. માંથી કેઈના પણ વડે જે જીતે હોય તે તેને પ્રતિસેવક કહેવાય. આ સારા તપસ્વી છે, એવા પ્રકારની પિતાની પ્રશંસા સાંભળી જે ખુશ થાય તે સૂક્ષમપ્રતિસેવક છે. કહ્યું છે કે इह जाणाइ कुसीलो उवजीवं होइ नाण पभिईए । अहसुहुमो पुण तुस्सं एस तवस्सित्ति संसाए ॥ १ ॥ અહિં જ્ઞાન વગેરે દ્વારા જે જીવે છે તે જ્ઞાનાદિ કુશીલ છે. “આ તપસ્વી છે એમ પ્રશંસા સાંભળી ખુશ થાય તે યથાસૂમ પ્રતિસેવક કહેવાય છે. ૨. જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને સૂફમ એમ પાંચ પ્રકારે કષાય કુશીલે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લિંગને સંજવલનોધ વગેરેમાં ઉપગવાળો થઈને જ્ઞાન વગેરે કેઈને પણ, જ્ઞાન વગેરેને પોતાના વિષયમાં વ્યાપાર કરાવે, તે તે વિષયને કષાય કુશીલ જાણ. કષાયવશ થઈને જે કઈને પણ શ્રાપ આપે તે ચારિત્ર કષાય કુશીલ છે. મનવડે ક્રોધ વગેરે ' કરતા સૂક્ષ્મ કષાય કુશીલ અથવા સંજવલન ક્રોધ વગેરે કષાયોથી વશ થઈને જ જ્ઞાન,
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy