SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् - સ્થિતિ तदेतदयुक्तम्, यत् तावदुच्यते → “केवलदर्शने शक्त्यभावः प्रसजति इति" का पुनरसौ शक्तिः ? यदि तावद् विशेषविषयः परिच्छेदः शक्तिशब्दवाच्यस्तस्याभावोश्नोद्यते ततोऽभिलषितमेव सङ्गृहीतं स्यात् । अथ सामान्यार्थग्रहणशक्त्यभावो नोद्यते ततस्तस्य दर्शनार्थतैवानुपपन्ना स्यात्, किं हि तेन दृश्यते ? यदप्युक्तं “मनःपर्याये दर्शनप्रसङ्ग" इति तदागमानवबोधादयुक्तम्। न ह्यागमे मनःपर्यायदर्शनमस्ति, चतुर्विधदर्शनश्रवणात्, आगमप्रसिद्धं चेहोपनिबध्यते, न स्वमनीषिका प्रतन्यत इति। मनःपर्यायજ્ઞાનિનો હિ માવત્યામાશાવિષાદેશ (શ. ૮, ૩. ૨, સૂ. ૩૨૨-૨૨૦) ઢે ત્રીજી વા વર્ષનાજુનિ, अतो गम्यते यो मनःपर्यायविदवधिमांस्तस्य त्रयमन्यस्य द्वयम्, अन्यथा हि त्रयमेवाभविष्यदिति । - હેમગિરા ૦ વિનાનો સાક્ષાત્ ઉપયોગ છે તે અનાકારોપયોગ સમજવો. આવી સાકાર અને અનાકારની વ્યાખ્યા કરવાથી તે પૂર્વના બે દોષનો પરિહાર થાય છે. હ કેવળદર્શન શક્તિ શૂન્ય નથી ? સમાધાન કેવળદર્શનમાં શક્તિના અભાવનો પ્રસંગ આવશે” એવું જે પ્રથમ તમે કહો છો તે અયુક્ત છે કેમકે શક્તિ એ વળી શું છે ? જો ‘વિશેષ વિષયવાળો બોધ” એ શક્તિ શબ્દનો અર્થ કરી અને તેનો અભાવ (કેવળદર્શનમાં) કહેવાય તો એ તો અમોને ઇચ્છિત જ છે અર્થાત્ આ અમને ઇષ્ટાપત્તિ છે. હવે જો શક્તિ શબ્દનો બીજો અર્થ ‘સામાન્ય વિષયવાળો બોધ એવો કરવામાં આવે અને એવી શક્તિનો અભાવ કેવળદર્શનમાં કહેવામાં આવે તો તેની (કેવળદર્શનની) દર્શનાર્થતા જ અનુપપન્ન થાય છે અર્થાત્ કેવળદર્શનને દર્શન તરીકે જ નહીં કહી શકાશે, કારણકે (સામાન્ય વિષયના બોધ રૂપ શક્તિના અભાવમાં હવે) તે કેવળદર્શન વડે શું દેખાશે ? અર્થાત્ કાંઈ નહીં દેખાય. મન:પર્યાય દર્શન અનાગમિક છે . બીજું તમે જે કહ્યું હતું કે “મનઃ પર્યાયમાં દર્શનનો પ્રસંગ આવશે તે પણ (તમોને) આગમનો બોધ નહી હોવાથી અયુક્ત છે. તે આ પ્રમાણે કે ખરેખર આગમમાં મનઃ પર્યાય દર્શન ક્યાંય કહેવાયેલું નથી. કેમકે ૪ પ્રકારના (ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ) દર્શન આગમમાં સંભળાય છે અને અહીં દરેક વાત આગમમાં પ્રસિદ્ધ હોય તે જ લખાય છે, સ્વૈચ્છિક કોઈ વાત લખાતી નથી. કારણકે એવા શ્રી ભગવતીજી સૂત્રના ૮મા શતકના આશીવિષ નામના બીજા ઉદ્દેશા (સૂ. - ૩૧૯-૩૨ ૦)માં મનઃ પર્યાય જ્ઞાનીઓને ૨ અથવા ૩ દર્શન કહેવાયા છે, આ વાત ઉપરથી એમ જણાય છે કે જે અવધિજ્ઞાન સહિત મનઃ પર્યાયજ્ઞાની છે તેમને ૩ દર્શન (ચા, અચક્ષુ અને અવધિ) હોય, અન્યને (= અવધિજ્ઞાન રહિત મનઃ પર્યાયજ્ઞાનીને) ૨ દર્શન (ચક્ષુ અને અચક્ષુ) હોય. અન્યથા (જો મનઃ પર્યાયદર્શન માન્યું હોત તો) નિશે (અવધિરહિત મનઃપર્યાય
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy