SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् - સ્થિતિ किंचित्, चेतनायाः सुख-दुःखादिसाधारणसंवेदनलक्षणायाः प्रतिस्वं प्राणिविशेषप्रतिसंवेद्यत्वात्, तत्राध्यारोपो विभु-निरवयव-निष्क्रियादिधर्मकत्वेन, अपवादो नास्त्यात्मा न प्रमाणविषयो न च त्वक्पर्यन्तशरीरसम्बन्धीति, स्वानुभवविरुद्धत्वात्, अध्यारोपे चाप्रमाणकत्वात्, यदेव प्रत्यात्मप्रसिद्ध तदेवास्य लक्षणम्, वक्ष्यति च द्वितीयप्रश्नमधिकृत्य कथंलक्षणो वेति, ‘उपयोगो लक्षणं' (अ.२, સૂ.૮) તિા. चेतनाविशेषलक्षितस्य च कर्मोदयाद्यपेक्षाणि भावान्तराण्यधिकृत्य को जीव' इत्यत्र प्रश्ने प्रतिपत्तिराहिता आत्मन एकरूपमपि चैतन्यस्वतत्त्वं कर्मक्षयोपशमाद्यवस्थाविशेषनिमित्ताद् व्यपदेशाद् भावेयत्तानियमं प्रतिपद्यते, उपलक्षणभूताश्चैते प्रायः कर्मापेक्षत्वाद् भवन्ति स्वतत्त्वं, यथा चक्षुरिकज्ञान – હેમગિરા - હોય છે, તેથી જીવનું સ્વતન્ત (= ચેતના લક્ષણ) કોઈના દ્વારા જરાય અધ્યારોપિત નથી અને અપોદિત પણ નથી કારણ કે સુખ, દુઃખ વગેરેની સાધારણ સંવેદન સ્વરૂપ ચેતના દરેક જીવોને સ્વયં વ્યક્તિગત રીતે અનુભવાય છે. (તેમજ) ત્યાં (= આત્મા વિષે) વિભુત્વ, નિરવયવત્વ, નિષ્ક્રિયત્ન વગેરે (આત્મામાં અવિદ્યમાન એવા) ધર્મોથી કરાતો અધ્યારોપ તથા આત્મા નથી, પ્રમાણનો વિષય નથી અને ત્વચા સુધીના સંપૂર્ણ શરીર સાથે સંયુક્ત નથી એમ (આત્મામાં વિદ્યમાન એવા અસ્તિત્વ વગેરે ધર્મોથી) કરાતો અપવાદ સ્વાનુભવથી વિરૂદ્ધ છે. વળી અધ્યારોપમાં (અને અપવાદમાં) પ્રમાણનો પણ અભાવ છે. આ લક્ષણ નહીં હોય ત્યાં ત્યાં ઉપરોકત અધ્યારોપ અને અપવાદ કરી શકાશે. આથી જે દરેક આત્મામાં પ્રસિદ્ધ હોય તે જ આ (આત્મા)નું લક્ષણ બની શકે છે. ‘ચંન્નક્ષનો વા’ (જીવ કેવા લક્ષણવાળો છે ?) એવા બીજા પ્રશ્નને આશ્રયી ઉત્તર રૂપે ઉપયોrો નક્ષi” (= ઉપયોગ લક્ષણવાળો જીવ છે) એમ ૨/૮ સૂત્ર આગળ કહેવાશે. ચેતના વિશેષ (= ઉપયોગ લક્ષણ)થી ઓળખાયેલ એવા આત્માના, કર્મોદય વગેરેની અપેક્ષાવાળા જુદા જુદા (૫) ભાવોને આશ્રયીને ‘જીવ કોણ છે ?’ એ પ્રથમ પ્રશ્નમાં નિરૂપણ કરાયું કે કર્મની ક્ષયોપશમ આદિ વિશિષ્ટ અવસ્થાના કારણે જીવમાં ઔપશમિક વગેરે ભાવોનું વિધાન થતું હોવાથી એક સ્વરૂપવાળું એવું પણ ચૈતન્ય સ્વતત્ત્વ, ઔપથમિક વગેરે ભાવોની ૫ સંખ્યાના નિયમને પામે છે. જે લક્ષણ અને ઉપલક્ષણનો ભેદ છે વળી જેમ રૂપમાં આવતું ‘જ્ઞાનવિષયત્વ’ એ ચક્ષુસાપેક્ષ હોવાથી રૂપનું ઉપલક્ષણ છે (લક્ષણ નહીં) તેમ આ “પશમિકાદિ ભાવો’ પ્રાયઃ કર્મસાપેક્ષ હોવાથી જીવના ઉપલક્ષણ રૂપ સ્વતત્ત્વ છે અને જેમ મૂર્તિ (= ‘મૂર્તત્વ') એ રૂપનું લક્ષણ છે, તેમ ઉપયોગ એ જીવનું લક્ષણ રૂપ સ્વતત્ત્વ છે જેમ ઉષ્ણતા એ અગ્નિનું લક્ષણ રૂપ સ્વતત્ત્વ અહેય છે. તેમ ચૈતન્ય (= ઉપયોગ) એ ૨. “તાદાપરે - ના ૨. વિજ્ઞાન - પ..
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy