________________
२०८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३७
- અત્તિ - कर्मभ्योऽन्यद्, यदि च तन्न स्यात् कुण्डभेदाद् बदराणामिवेतस्ततः पतनं स्यात् कर्मणामनिष्टं चैतत्, तस्माद् यदेषामाश्रयकारणं तत् कार्मणं शरीरमिति।
उत्पत्तिकारणभेदाच्च पृथक् कर्मभ्यः कार्मणम्, बन्धननामकर्मप्रत्ययं प्रद्वेषादिनिमित्तं च कर्मोत्पद्यत इत्याप्तोपदेशः, शरीराणां तु स्वशरीरनामकर्मोदयादुत्पत्तिरतोऽन्यत्वम्, पाकभेदाच्चान्यत् ज्ञानावरणादि कर्म पच्यमानं मूढताद्युत्पादयति, कार्मणशरीरकारणपाकस्तु कार्मणमेव शरीरमारभते तस्मादन्यत्, 'पूर्वोत्तरकालं बन्धाविनिवृत्ते (बन्धविनिवृत्ते ?) श्चान्यत्वं मोह-ज्ञानावरणादिवत्, अनिवृत्ति (निवृत्ति ?) स्थाने हि विनिवर्तते बन्धः कार्मणस्य, 'कर्मणस्तु सह तेन पूर्वमुत्तरत्र च
- હેમગિરા – (નામકર્મ) પણ જ્ઞાનાવરણીય આદિ કર્મોથી અન્ય છે. (તેથી જેમ કુંડ અને બોરમાં આધારઆધેયભાવની અપેક્ષાએ ભેદ છે તેમ કામણ શરીર (નામકર્મ) અને જ્ઞાનાવરણીયાદિ કર્મો વચ્ચે આધાર-આધેયભાવની અપેક્ષાએ ભેદ છે.) અને જો તે કામણ શરીર (નામકર્મ) કર્મોથી અન્ય ન હોય તો જેમ આધાર રૂપ કુંડના નાશ થવાથી બોરનું અહીંથી ત્યાં પડવાનું થાય તેમ કર્મોનું આમથી તેમ પડવાનું થાય અને આ અનિષ્ટ છે તેથી એ કહેવું જ પડે કે જે આ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આશ્રય રૂપ જે કારણ છે તે (તેનાથી ભિન્ન) કાર્મણ શરીર (નામકર્મ) જ છે. (જ્ઞાનાવરણાદિ કર્મ જ કાર્પણ શરીર નામકર્મ નથી.)
(૨) બંધના કારણમાં તફાવત – ઉત્પત્તિ (= બંધ)ના કારણમાં ભેદ હોવાથી કાર્પણ શરીર (નામકર્મ) જ્ઞાનાવરણીયાદિ કર્મોથી ભિન્ન છે તે આ રીતે કે – જ્ઞાનાવરણાદિ કર્મોની ઉત્પત્તિ (= બંધ) બંધનનામકર્મના નિમિત્તે તથા રાગદ્વેષાદિના નિમિત્તે થાય છે, એમ આયોનો ઉપદેશ છે. જ્યારે તે કાર્મણ વગેરે શરીરોની ઉત્પત્તિ પોતપોતાના શરીર નામકર્મના ઉદયથી થાય છે અર્થાત્ કામણ શરીરના નામકર્મ રૂપે વિવક્ષિત કાર્મણ શરીરની ઉત્પત્તિ (= બંધ) કાર્મણ શરીર નામ કર્મના ઉદયથી થાય છે. આથી કાર્મણ શરીર (નામકર્મ) એ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી અન્ય છે.
(૩) વિપાકમાં તફાવત - પાક (= વિપાક) ભેદની અપેક્ષાએ બંને અન્ય છે, તે આ રીતે કે – વિપાક પામેલ જ્ઞાનાવરણાદિ કર્મ જીવમાં મૂઢતા વગેરેને ઉત્પાદન કરે છે, જ્યારે કામણ શરીરના કારણ સ્વરૂપ કાર્મણ શરીર નામકર્મનો વિપાક તો કાર્મણ શરીરનો જ આરંભ કરે છે. તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોથી કાર્પણ શરીર નામકર્મ અન્ય છે.
(૪) બંધ વિચ્છેદમાં તફાવત – પૂર્વ-ઉત્તરકાળે (= આગળ-પાછળ) થનારા બંધવિચ્છેદની અપેક્ષાએ જ્ઞાનાવરણીયાદિ કમથી કાર્મણ શરીર નામકર્મ ભિન્ન છે. જેમકે જ્ઞાનાવરણીય આદિ કર્મનો અને મોહનીય આદિ કર્મનો બંધવિચ્છેદ કાળ જુદો હોવાથી બંને જુદા છે (એક નથી). ૨. પૂર્વોત્તરાવસ્થા" (.)૨. Trg - 5 (ાં. )