SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ १९६ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३३ । गन्धहस्ति तेजसः उष्णाऽत्यन्तप्रसिद्धैव। त्रिविधाऽन्येषाम्। अन्येषामिति गर्भव्युत्क्रान्तितिर्यग्-मनुष्य-देव-तेजोव्यतिरिक्तानां सम्मूर्च्छनजन्मतिर्यग्-मनुष्य-नारकाणाम्, सम्मूर्च्छनजतिर्यग्-मनुष्याणां कस्यचिच्छीता कस्यचिदुष्णा कस्यचिदुभयस्वभावा स्थानविशेषादिति, नारकाणामाद्ये पृथिवीत्रये प्रकृष्टोष्णा, चतुर्थ्यां क्वचिन्नरके शीता क्वचिदुष्णा तथा पञ्चम्याम् । कथं पुनर्भिन्नाधारोभयस्वभावा स्यात् ? उच्यते → एकस्यां पृथिव्यामुभयमस्तीति न भिन्नाधारत्वम् ।। ननु तत्रापि नारकभेदवर्तित्वादनुभयस्वभावत्वमेवेति ? उच्यते → चतुर्थ-पञ्चमपृथिवीनारकाणामुभयस्वभावेति सामान्याभिधानाददोषः। पाश्चात्योर्द्वयोः प्रकृष्टशीता, न त्वेषां साधारणाऽस्ति दुःखात्मक - હેમગિરા – શીતોષ્ણ) યોનિ હોય છે. તેજસકાયની ઉષ્ણ યોનિ સુપ્રસિદ્ધ જ છે. બીજાઓની ત્રણ પ્રકારની યોનિ હોય છે બીજાઓની એટલે ગર્ભજ તિર્યંચ, મનુષ્ય, દેવ તથા તેજસ્કાયથી અન્ય એવા સંમૂર્ણિમ જન્મવાળા તિર્યંચ અને મનુષ્યોની તથા નારકોની ૩ પ્રકારે યોનિ હોય છે. તેમાં સંમૂર્છાિમ જન્મવાળા તિર્યંચ અને મનુષ્યોની સ્થાન વિશેષને આશ્રયી કોઈકની શીત, કોઈકની ઉષ્ણ તો કોઈકની ઉભય સ્વભાવવાળી યોનિ હોય છે. નારકોની શરૂઆતની ૩ પૃથ્વીઓમાં પ્રબળ ઉણયોનિ હોય છે. ચોથી નરકમાં ક્યાંક શીત, ક્યાંક ઉષ્ણ હોય છે તે જ રીતે પાંચમી પૃથ્વીમાં પણ જાણવી. : ઉભય યોનિની નરકમાં વિમર્શના . પ્રશ્નઃ પ્રસ્તુત નરકોમાં ભિન્ન-ભિન્ન આધારને આશ્રયી અર્થાત્ કોઈક પાડામાં શીત અને કોઈક પાથડામાં ઉણ યોનિ કહી છે, તો કઈ રીતે તે ભિન્ન આધારવાળી યોનિ ઉભય સ્વભાવવાળી શીતોષ્ણ ઘટે? પ્રશ્નનો આશય એ છે કે – એક જ ઠેકાણે શીત અને ઉષ્ણ બે ભેગી હોય તો શીતોષ્ણ કહેવાય અન્યથા નહીં. ઉત્તરઃ (ચોથી કે પાંચમી) એક જ નરક પૃથ્વીમાં ઉભય (= શીત અને ઉષ્ણ) પ્રકારની યોનિ હોવાથી ભિન્ન આધારપણું નથી. પ્રશ્ન : ત્યાં (= એક નરક પૃથ્વીમાં) પણ નારકોમાં અમુક ઠેકાણે શીત અને અમુક ઠેકાણે ઉષ્ણ એમ ભિન્નપણે વર્તતી હોવાથી યોનિમાં અનુભય સ્વભાવપણું જ ઘટશે. મિશ્રપણું (= શીતોષ્ણપણું) નહિ ઘટે. ઉત્તર : ૪થી અને પમી પૃથ્વીમાં નારકોની ઉભય સ્વભાવવાળી યોનિ હોય છે. એમાં સામાન્ય રીતે નિર્દેશ કર્યો હોવાથી દોષ નથી અર્થાત્ ૪થી અને ૫મી નરકમાં ૧-૧ નરક પાથડાં વિશેષને આશ્રયી અનુભય સ્વભાવવાળી યોનિ હોવા છતાં પણ તે નરક સામાન્યમાં શીત અને ઉષ્ણ બંને પ્રકારની યોનિ મળતી હોવાથી તે નરકને ઉભય સ્વભાવવાળી કહેવામાં કોઈ દોષ નથી.
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy