SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् सूत्रम् :- सचित्त-शीत-संवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः॥२/३३॥ भाष्यम् :- संसारे जीवानामस्य त्रिविधस्य जन्मन एताः सचित्तादयः सप्रतिपक्षा मिश्राश्चैकशो योनयो भवन्ति। - અસ્થતિ ૦ उक्तं जन्म प्रादुर्भावमानं शरीरीणाम्, न तु प्रतिविशिष्टस्थाननिर्देशः कृतः, कीदृशि पुनः स्थाने प्रथमत उत्पद्यमानाः सम्मूर्च्छन्ति, शुक्रासृग्ग्रहणं वा कुर्वन्ति, वैक्रियशरीरं वा समाददते किंगुणे धामनि नारक-देवा इति ? अतस्तेषां जन्मनां विशिष्टस्थाननिरूपणाय योनयोऽभिधीयन्ते → अथवाऽयमात्मा पूर्वभवशरीरनाशे तदनु शरीरान्तरप्राप्तिस्थाने यान् पुद्गलान् शरीरार्थमादत्ते तान् कार्मणेन सह मिश्रयति तप्तायःपिण्डाम्भोग्रहणवच्छरीरनिवृत्त्यर्थं बाह्यपुद्गलान् यस्मिन् स्थाने तत् स्थानं योनिस्तत्प्रविभागार्थमिदमुच्यते → सचित्तेत्यादि (सूत्रम्)। संसारे जीवानामित्यादि भाष्यम्। સૂત્રાર્થ ઈતર = અનુકમે અચિત્ત, ઉણ, અસંવૃત સહિતની એવી સચિત્ત, શીત, સંવૃત (= ઢંકાયેલ) યોનિઓ તથા મિશ્ર એમ એક એક કરીને કુલ ૯ પ્રકારે ત્રિવિધ જન્મ સંબંધી યોનિઓ છે. ૨/૩૩ ભાષ્યાર્થ : સંસારમાં જીવોને આ ૩ પ્રકારના જન્મ સંબંધી પ્રતિપક્ષ (= અચિત્તાઠિ) સહિતની એવી આ સચિત્તાદિ અને મિશ્ર, એમ એક એક કરીને કુલ ૯ પ્રકારે યોનિઓ હોય છે. - હેમગિરા - શરીરી દેવ અને નારક હોય છે, જ્યારે ઉપરના જન્મના સ્વામી દેવ અને નારક નથી હોતા. ૨/૩૨ / ૨/૩૩ સૂત્રની અવતરણિકા આમ અત્યાર સુધીમાં શરીર (= જીવો)ની ઉત્પત્તિ સ્વરૂપ જ જન્મ કહેવાયો પરંતુ (જે સ્થાનોમાં જન્મ થાય છે તે) અમુક ચોક્કસ સ્થાનોનો નિર્દેશ નથી કરાયો, કે કેવા પ્રકારના સ્થાનમાં પ્રથમથી ઉત્પન્ન થનારા જીવો સંમૂઠ્ઠિમ તરીકે હોય છે? અથવા કેવા પ્રકારના સ્થાનમાં ગર્ભજો શુક્ર અને લોહીનું ગ્રહણ કરે છે ? અથવા કેવા ગુણવાળા ધામ (= સ્થાન)ને વિશે નારકો અને દેવો વૈયિ શરીરને ગ્રહણ કરે છે ? આથી તે બધા જન્મોના વિશિષ્ટ સ્થાનોનું નિરૂપણ કરવા માટે ૨/૩૩ સૂત્રમાં યોનિઓ કહેવાય છે. પ્રસ્તુત ૩૩મા સૂત્રની અન્ય રીતે અવતરણિકા આ પ્રમાણે છે – આ આત્મા પૂર્વભવ સંબંધી શરીરનો નાશ થાય ત્યારે તેના પછી બીજા શરીરની પ્રાપ્તિના સ્થાને તપેલા લોઢાનો ગોળો જેમ પાણીનું ગ્રહણ કરે છે તેમ જે પુગલોને શરીર માટે ગ્રહણ કરે છે તે બાહ્ય પુગલોને શરીરની રચના માટે જે સ્થાનમાં કાર્મણ દેહ સાથે મિશ્રિત કરે છે તે સ્થાન યોનિ કહેવાય છે. તે યોનિના વિભાગ કરવા માટે આ ૨/૩૩ સૂત્ર કહેવાય છે.
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy