SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् માધ્યમ્ - શ્રુતજ્ઞાન દિવથમ્ -વાવિયં નોન્દ્રિયથાર્થ iાર/૨૨ા. - સ્થિતિ मनुते द्रव्यमनःसमालम्बनद्वारेण यदिन्द्रियपरिणामं तस्य व्यापारानुविधानात् अतस्तस्यैवंरूपस्यानिन्द्रियस्य श्रोत्रप्रणालिकोपात्तशब्दवाच्यविचारिणोऽर्थः श्रुतज्ञानम्, तच्च प्रयोगविशेषसंस्कृतं वर्ण-पद-वाक्यप्रकरणाध्यायादिभेदं मनोऽन्तरेण न करणान्तरं परिच्छेत्तुमलम्, एतद्धिहिताहितानुभयप्राप्ति-परिहारोपेक्षालक्षणपुरुषार्थनिर्वर्तनक्षमत्वात् मनसा वीक्ष्यमाणं, तस्यैवार्थो नेन्द्रियान्तरस्य। यथा धर्मास्तिकायशब्दोच्चारणसमनन्तरमेव पूर्वकृतसङ्केतापेक्षो द्राग् नित्यैकामूर्त-गत्यर्थ-लोकाकाशव्याप्यक्रियार्थं द्रव्यं मनसोपलभ्यते तत् श्रुतमनिन्द्रियस्यार्थ इति स्थितमेतद् भाष्यकारेण च भाष्ये विशिष्ट श्रुतपरिग्रहार्थं विशेषणमुपात्तम् श्रुतज्ञानमित्यादि। श्रुतज्ञानमित्यात्मपरिणामाख्यानं शब्दव्युदासार्थम्, द्विविधम् = अङ्गबाह्य ભાષ્યાર્થ : કમશ: અનેક અને બાર ભેટવાળા એવા બે ભેદવાળું શ્રુતજ્ઞાન એ નોઈદ્રિયનો અર્થ છે. ૨/૨૨ . - હેમગિરા વ્યાપીને રહેનાર છે. જે વખતે જે ઇન્દ્રિયનો પરિણામ હોય અર્થાત્ જે ઇન્દ્રિય પોતાના વિષયનો બોધ કરવા વ્યાપૃત હોય, તે વ્યાપારને અનુસાર દ્રવ્યમનનું આલંબન લઈને ભાવમન વિચારે છે અર્થાત્ તે વિષયનો બોધ કરે છે. આથી આવા પ્રકારના (= દ્રવ્યમનનું આલંબન લેવા દ્વારા વિચારનારા) અને શ્રોત્રેન્દ્રિયની પ્રણાલિકા = માધ્યમથી પ્રાપ્ત થયેલા શબ્દના વાચ્ય અર્થને વિચારનારા એવા તે મનનો અર્થ (= વિષય) એ શ્રુતજ્ઞાન છે. પ્રયોગવિશેષથી સંસ્કાર પામેલા તેમજ વર્ણ, પદ, વાક્ય, પ્રકરણ, અધ્યાય આદિ પ્રકારવાળા તે શ્રુતજ્ઞાનને મન વિના કોઈ અન્ય કરણ (= ઇન્દ્રિય) જાણવાને સમર્થ નથી, કારણકે મનથી વિચારાતું એવું આ શ્રુતજ્ઞાન આત્માને હિતની પ્રાપ્તિ, અહિતનો પરિહાર અને જેમાં હિત પણ નથી અને અહિત પણ નથી એવા પદાર્થની ઉપેક્ષા કરવા સ્વરૂપ પુરુષાર્થ કરાવવામાં સમર્થ હોય છે. આથી શ્રુતજ્ઞાન તેનો (= મનનો) જ વિષય છે, અન્ય ઇન્દ્રિયોનો નહિ. જેથી ‘ધર્માસ્તિકાય એવા શબ્દના ઉચ્ચારણ બાદ તરત જ પૂર્વકૃત સંકેતની અપેક્ષાવાળો જીવ જલ્દીથી દ્રવ્યાત્મક એવા નિત્ય, એક, અમૂર્ત, ગતિના પ્રયોજનવાળું, લોકાકાશ વ્યાપી, નિષ્ક્રિય (ધર્માસ્તિકાય) પદાર્થને મનથી જાણી લે છે. તેથી એ નક્કી થયું કે શ્રુત તે અનિન્દ્રિય (= મન)નો વિષય છે. 3 બે પ્રકારનું ભાવશ્રુત જ મનનો વિષય છે ? ભાષ્યકારશ્રી વડે ભાગ્યમાં વિશિષ્ટ ભાવથુતને ગ્રહણ કરવા માટે શ્રુતજ્ઞાન ઇત્યાદિ વિશેષણ ગ્રહણ કરાયું છે. વિશિષ્ટ આત્મ પરિણામ રૂ૫ ભાવથુતનું ખ્યાપન કરનાર “શ્રુતજ્ઞાન' એવું પદ શબ્દ રૂપ દ્રવ્યશ્રતની બાદબાકી કરવા માટે છે. આ શ્રુતજ્ઞાન અંગબાહ્ય અને અંગાંતરગત ૨. તાપ્રેક્ષો” - પ સં પ્રેક્ષો”. પ્ર. * જુઓ પરિશિષ્ટ-૨ ટીપ્પણી - ૯
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy