________________
१०९
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् સૂત્રમ્ :- નથુપયોૌ માન્દ્રિયમ્ ૨/૮
- સ્થિતિ – एतदेव स्फुटयति → निर्वर्तितस्य = निष्पादितस्य स्वावयवविभागेन यदनुपहत्याऽनुग्रहेण चोपकरोति ग्रहणमात्मनः स्वच्छतरपुद्गलजालनिर्मापितं तदुपकरणेन्द्रियमध्यवस्यन्ति विद्वांसः, आगमे तु नास्ति कश्चिदन्तर्बहिर्भेद उपकरणस्येत्याचार्यस्यैव कुतोऽपि सम्प्रदाय इति। एवमेतदुभयं द्रव्येन्द्रियमभिधीयते तद्भावेऽप्यग्रहणात् उपकरणत्वानिमित्तत्वाच्चेति। निर्वृत्तेरादावभिधा जन्मक्रमप्रतिपादनार्थं तद्भावे ह्युपकरणसद्भावाच्छस्त्रशक्तिवदिति ।।२/१७ ।।
अथ भावेन्द्रियं किमित्यत्रोच्यते → लब्ध्युपयोगौ भावेन्द्रियम् (इति सूत्रम्) । लब्धिः = प्रतिस्वमिन्द्रियावरणकर्मक्षयोपशमः, સૂત્રાર્થ ? લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિય છે. /૨/૧૮
- હેમગિરા - વાતને ભાગકારથી સ્પષ્ટ કરે છે કે પોતાના અવયવના વિભાગથી નિર્માણ થયેલ જે ઇન્દ્રિય અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયને ઉપઘાત ન થવા દઈને અને પોતાના વિષયના ગ્રહણમાં = સ્પર્શાદિ વિષયના બોધમાં અનુગ્રહ કરવા વડે ઉપકાર કરે છે તથા સ્વચ્છતર પુગલના સમૂહથી જે બનેલ છે તે ઉપકરણેન્દ્રિય છે એ પ્રમાણે વિદ્વાનો માને છે.
વળી અહીં દર્શાવેલ ઉપકરણ ઇન્દ્રિયનો અભ્યતર કે બાહ્ય એવો કોઈ ભેદ આગમમાં દર્શાવેલ નથી, માટે ક્યાંયથી પણ પ્રાપ્ત થયેલો આ બે ભેદનો સંપ્રદાય એ આચાર્યશ્રીનો જ જણાય છે.
આ પ્રમાણે આ નિવૃત્તિ અને ઉપકરણ બંને દ્રવ્યેન્દ્રિય કહેવાય છે કેમકે બંનેના સભાવમાં પણ બોધ થતો નથી, આ બંને ઉપકરણરૂપ (= પુદ્ગલમય) છે અને નિમિત્ત કારણ રૂપ છે.
= ઉત્પત્તિ કમનું પ્રતિપાદન : અહીં સૂત્રમાં પ્રથમ જે નિવૃત્તિ ઇન્દ્રિયનું વિધાન કર્યું છે, તે ઉત્પત્તિના કમનું પ્રતિપાદન કરવા માટે છે, કેમકે આ નિવૃત્તિ હોય તો જ ઉપકરણનું નિર્માણ થાય છે. જેમાં તલવાર હોય તો જ તેની શક્તિ = ધાર પણ હોય, તલવારના અભાવમાં તેની શકિત = ધાર સંભવિત નથી, તેવી રીતે નિવૃત્તિના અભાવમાં ઉપકરણ સંભવિત નથી. ૨/૧૭ |
૨/૧૮ સૂત્રની અવતરણિકા : હવે ભાવેન્દ્રિય શું છે ? એ પ્રશ્નનો ઉત્તર અહીં (= ૨/૧૮ સૂત્રમાં) કહેવાય છે.
‘નથુપયોrો મન્દ્રિય’ આ ૨/૧૮ સૂત્ર છે. તેના વિવેચનને કરે છે. લબ્ધિ એટલે