________________
અભિનંદન અભિનંદન શત શત અભિનંદન
સરસ્વતી દેવી છે જેમની આરાધ્ય દેવી, જીવદયા છે જેમની કુળદેવી, જેમના શબ્દે શબ્દે સ્નેહ ઝરે છે, જેમના દર્શનથી દિવ્યતા પ્રગટે છે. એવા સંયમ જીવનમાં સાધક આધ્યાત્મિક આરાધક ભવ્ય જીવોનાં ઉદ્ધારક પરમ ઉપકારી મારા બેન મહાસતીજી નીતાબાઈ સ્વામી.
સૌરાષ્ટ્રની ભોમકામાં ગામ ચંગા, જીલ્લો જામનગર, માલદે કુટુંબમાં જન્મેલા પિતા પદમશીભાઈ અને માતા ગંગાબેનની લાડલી પુત્રી જયાબેનને જન્મથી જ સંયમ લેવાના ભાવ, ૧૮ વર્ષની કોમળ વયે સંયમ અંગીકાર કર્યો ત્યારે એસ. એસ. સી. તેમજ અભ્યાસ, પરંતુ દિક્ષા ના ક્ષેત્રે પ્રગતિ કરતા વિઘા ભાસ્કર, જૈન સિદ્ધાંત આચાર્ય, હિન્દીમાં રત્ન, સાહિત્ય રત્ન, બી.એ., એમ. એ.ની ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા બાદ આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધતાં પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે. જ્ઞાનના શિખરો સર કરી અમારા માલદે પરિવારનું કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયનું ગુરુ-ગરુણીનાં નામને ચાર ચાંદ લગાવી દીધા છે.
જ્ઞાન સાથે તપશ્ચર્યા કરવામાં પણ કામ ભીડી છે. સંયમ જીવન તપના રંગે રંગ્યું છે. નાની મોટી અનેક તપશ્ચર્યાઓ કર્યા પછી ૨૦ વર્ષથી વરસી તપ કરી રહ્યા છો. સાથે જૈન સમાજનું શાસનનું ઋણ ચુકવવા તમે આગમના સારરૂપ ૮ પુસ્તકો અર્પણ કર્યા છે જે (૧) આગમઅર્ક, (૨) મણીજયા પુષ્પ (૩) રત્નલઘુ પરિમલ (૪) લઘુ પ્રેરણા પુષ્પ (૫) નૂતન વર્ષનો સંદેશ (૬) અમરનિધિ (૭) આગમ અમૃત અને (૮) આગમ ઓજસ આવા તત્ત્વજ્ઞાનના પુસ્તકો મંડળો, પાઠશાળાઓ અને સાધુ-સાધ્વી માટે ખૂબ જ ઉપયોગી કામયાબ થયા છે.
ધન્ય છે આપના સંયમને, જ્ઞાનને અને તેમને. અમે તો આજે આપની પ્રગતિ જોઈ હર્ષ આનંદ અને ઉત્સાહનો અનુભૂતિ કરીએ છીએ. મારા બેન મહાસતીજી ઘણા અવ્વલ નંબરે આવી ગયા છે. સંપ્રદાયમાં પ્રથમ જ આપે પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે. આપનો જીવનબાગ, પ્રસન્નતા, પવિત્રતા, સાન, તપ, સદગુણોથી મધમધી રહ્યો છે. આપ દીર્ઘાયુ બનો અને અમને વધુને વધુ લાભ આપતા રહો એવી ભાવના ભાવું છું.
આપના ઉપર ગુરુકૃપા સદાયે વરસતી રહે, આપશ્રીનું જીવન સૌના માટે પ્રેરક બની રહે ભવોદિધ તારક બની રહે, એ જ શાસનદેવને પ્રાર્થના.
કોંગ્રેચ્યુલેશનની વરસાવું અમીધાર, અમ અંતરનો આનંદ અપરંપાર,
૪૬