________________
બા.બ્ર. તપસ્વીની પૂજ્ય નીતાબાઈ મહાસતીશ્રીની વંદનામાં
આપશ્રીએ આપના સાધક જીવનમાં અથાગ પરિશ્રમ કરીને દંડક એક અધ્યયન વિષય પર થિસિસ પૂર્ણ કરીને પીએચ.ડી.ની બહુ મૂલ્ય ડીગ્રી પ્રાપ્ત કરીને આપના યશસ્વી કીર્તિવંત મુગટમાં એક યશકલગીનો વધારો કરેલ છે તે બદલ સમસ્ત આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયમ હર્ષ અને ખુશાલીની લાગણી ફેલાયેલ છે અને આવી કઠીન ડીગ્રી પ્રાપ્ત કરીને આપશ્રીએ ફક્ત આઠ કોટિ સંઘને જ નહીં પરંતુ સમસ્ત જૈન સંપ્રદાયને ગૌરવ, પ્રતિષ્ઠા, માન તથા સન્માન એનાયત કરેલ છે. તે બદલ અમો આઠ કોટિ સંઘના સર્વ શ્રાવક શ્રાવિકાઓ હંમેશને માટે આપશ્રીના ઋણી છીએ.
આપશ્રીએ શરૂઆતથી જ સતત વાંચન, ચિંતન તથા લેખનથી કઠીન તપશ્ચર્યાઓ તથા સાધક જીવન વચ્ચે પણ વિદ્યાભાસ્કર, જૈન સિદ્ધાંત, આચાર્ય, સાહિત્ય રત્ન, બી. એ., એમ. એ. જેવી સતત અભ્યાસ માંગી લે તેવી પરીક્ષાઓ રમતા રમતા આસાનીથી પ્રથમ પંક્તિમાં પાસ કરીને આપની તજજ્ઞતા, સક્ષમ અભ્યાસ તથા સહજ ભાવનો પરચો બતાવી વિદુષી તરીકે સાર્થક થયેલ છો.
- આપના તજજ્ઞ, આધ્યાત્મિક અભ્યાસ તથા નિપૂણતાના નિચોળરૂપ જૈન સિદ્ધાંતો અને થોકડાઓ પર આગમ ઓજસ તથા અન્ય વિષયો પર ચિરસ્મરણીય પુસ્તકો પ્રકાશિત કરેલ છે.
આટલી અવિરત એકધારી પ્રવૃત્તિઓ વચ્ચે પમ આપશ્રીએ તપશ્ચર્યા ને પ્રથમ સ્થાન આપેલ છે તે આપના ૧૯મા વર્ષ તપ પરથી જણાઈ આવે છે. - ' આપશ્રીની અમૂલ્ય, અવર્ણનીય ઉપલબ્ધિઓની જેટલી સરાહના કરીએ તેટલી ઓછી છે. આપશ્રી આપના ઉજ્જવલ પથ પર પ્રગતિ કરતા રહો તે જ અંતઃકરણ પૂર્વક અમારી અભ્યર્થના.
આપના પગલે આપની શિષ્યા પૂજ્ય ચાંદનીબાઈ મહાસતીજી એ પણ શાસ્ત્રના પ્રથમ ખંડની પરીક્ષા ૭૦ ટકા સાથે પાસ કરેલ છે. તે બદલ તેમને અમારા ખાસ અભિનંદન અને અમોને ખાત્રી છે કે તેઓશ્રી પણ આપના પગલે ચાલીને આપની સવાયી શિષ્યા બનશે.
ફરીને આપ બંનેને અમારા હાર્દિક અભિનંદન સાથે આપ બંનેને તંદુરસ્ત દિર્ધાયુ જીવન બક્ષે અને આઠ કોટિ સંઘની ઉન્નતિમાં આપબનો યશસ્વી ફાળો રહે એ જ પ્રભુ પ્રાર્થના એજ
ઈશ્વરભાઈ દેસાઈ (CA) પરિવારના
નાં હૃદયપૂર્વક વંદન
ભુજ (કચ્છ)
૪૧