SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ બંનેયને સેવવાની અભિલાષ - મૈથુન સેવવાની વાંછા જે કર્મને લીધે હોય તેને નપુંસર્વેદ કહેવાય છે. સ્ત્રી અને પુરુષ બંને તરફ મોહ ઉત્પન્ન કરાવી તેમાં આનંદ મનાવે. તેમાં આત્માને મૂંઝવે છે. સમ્યગું ચારિત્રનું આવરણ કરે છે. નવાં કર્મ બંધાવી સંસાર વધારે છે એ જાતનું આ કર્મ છે. કુંકુમ તે કરીષનો અગ્નિ તે સરખો સ્ત્રીવેદનો ઉદય છે. તે મોડો ઉપશમે તૃણની અગ્નિ સરખો પુરુષવેદનો ઉદય તે તરત ઉપશમે અને નગરની દાહ સરખો નપુંસકવેદનો ઉદય તે કેમેય શાંત થાય નહિ. પુરુષવેદ કરતાં સ્ત્રીવેદનો ઉદય વધારે તીવ્રતર હોય છે. પ્રત્યેકના ત્રણ ભંગ બને છે. ત્રણમાં પણ પ્રત્યેકના ત્રણ ભંગ બને છે. અપગતવેદ - જે સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ રૂપ પરિણામોના વેદનથી ઉન્મુક્ત છે અને પોતાના ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ અનંત સુખના ધારક કે ભોક્તા છે તે જીવ અપગત વેદી કહેવાય છે. જેમનો ત્રણ પ્રકારના વેદોથી ઉત્પન્ન થવાવાળો સંતાપ દૂર થઈ ગયો છે તે જીવ વિદરહિત અર્થાત્ અવેદી કહેવાય છે. મોહ કર્મ સ્કંધનો અભાવ થવાથી જીવ અવેદી થાય છે. દડકમાં વેદ - દંડકના ૨૪ દ્વારમાં ૨૪મું વેદ દ્વાર છે. ___ वेयतिय तिरि नरेसु, इत्थीपुरिसोय चउविहसुरेसु। थिर विग्ल नारएसु, नपुंसवेओ हवइ एगो'५ ॥४०॥ ગાથાર્થ - તિર્યંચો અને મનુષ્યોમાં ત્રણ વેદ છે. ચારેય પ્રકારના દેવોમાં સ્ત્રી અને ૪૭.
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy