SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોની અપેક્ષાએ બેઇન્દ્રિય આદિ જીવ અસંખ્યાતગણા છે. તેમનાથી અયોગી અર્થાત સિદ્ધ. જીવ અનંતગણા છે. અયોગીની અપેક્ષાએ કાયયોગી જીવ અનંતગણ અધિક છે. કેમકે વનસ્પતિકાયના જીવ અનંતગણા છે. અને તે બધા કાયયોગી છે. કાયયોગીઓની અપેક્ષાએ સામાન્ય સયોગી જીવ વિશેષાધિક છે. કેમકે તેમનામાં વચનયોગી આદિ પણ સંમિલિત છે. વચનમાં ત્રણ પ્રકારનાં કહ્યાં છે. (૧) એક વચન (૨) દ્વિવચન અને (૩) બહુવચન અથવા વચનના ત્રણ પ્રકાર છે. (૧) સ્ત્રીવચન (૨) પુરુષવચન અને (૩) નપુંસકવચન અથવા વચન ત્રણ પ્રકારના છે. (૧) અતીત વચન (૨) વર્તમાન વચન અને (૩) અનાગત વચન. પ્રતિમા પ્રતિપન્ન (પ્રતિમાઓની આરાધના કરતાં) અણગારને માટે ચાર ભાષાઓ બોલવા યોગ્ય કહી છે. (૧) યાચની (૨) પ્રચ્છની (૩) અનુજ્ઞાપની અને (૪) પૃષ્ટ વ્યાકરણી. (૧) યાચની - કલ્પનીય વસ્તુ જે ભાષાને સહારે માંગી શકાય છે તે ભાષાને યાચની ભાષા કહે છે. (ર) પ્રચ્છની - જે ભાષાને સહારે માર્ગાદિકોની પૃચ્છા કરવામાં આવે છે. અથવા પ્રયોજનવશ સૂત્ર અને અર્થ પૂછવામાં આવે છે તે ભાષાને “પ્રચ્છની” ભાષા (૩) અનુજ્ઞાપની - જે ભાષા દ્વારા ઉદ્યાન આદિના માલિકની આજ્ઞા લેવામાં આવે છે. તે ભાષાને “અનુજ્ઞાપની” ભાષા કહે છે. (૪) પૃષ્ટ વ્યાકરણી - પૂછવામાં આવેલી વાતનો જે ભાષા દ્વારા ઉત્તર દેવામાં આવે છે. તે ભાષાને “પૃષ્ટ વ્યાકરણી” ભાષા કહે છે. ચાર પ્રકારની ભાષા કહે છે. (૧) સત્યભાષા - જીવોને માટે હિતકારી ભાષા છે તેને સત્યભાષા કહે છે. જેમ કે “આત્મા છે. આ પ્રકારનું પ્રતિપાદન કરનારી જે ભાષા છે તે સત્યભાષા ગણાય છે. ૩૦૩
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy