SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે. યાવત્ વૈમાનિક અવસ્થામાં પણ અનંત વેદના સમુદ્યાત અતીત થયેલા છે. ભાવીના અસુરકુમાર પ્રમાણે સમજવા. જે પ્રકારો અસુરકુમારના નાક પર્યાયથી લઈને વૈમાનિક પર્યાય સુધીમાં વેદના સમુદ્યાતનું નિરૂપણ કરાયું છે. એ જ રીતે યાવત્ વૈમાનિકો સુધી પણ સ્વસ્થાન અને પરસ્થાનોમાં સમુદ્યાત સમજી લેવા જોઈએ. એ પ્રકારે ૨૪ દંડકોમાંથી પ્રત્યેક દંડકના ૨૪ દંડકોને લઈને કરવાથી ૨૪ x ૨૪ કરવાથી ૧૦૫૬ આલાપક થાય છે.' મારણાંતિક" સમુદ્ધાત સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં પણ એકોત્તરીકાથી જાણવા જોઈએ. યાવતુ વૈમાનિકના વૈમાનિકપણે એ પ્રકારે આ ચોવીસે દંડક ૨૪ દંડકમાં કહેવા જોઈએ. વૈક્રિય સમુદ્યાતને કષાય સમુદ્યાતની સમાન પૂરા કહેવા જોઈએ. વિશેષતા એટલી છે કે જેમને નથી હોતા, તેને નથી કહેવાતા. અહિં પણ ચોવીસે દંડક ચોવીસે દંડકમાં કહેવા જોઈએ. તૈજસ સમુદ્ધાત અને મારણાંતિક સમુદ્યાતને સમાન સમજી લેવા જોઈએ. પણ તેમાં વિશેષતા એ છે કે જે જીવમાં તૈજસ સમુદ્યાત હોય તેના જ કહેવા જોઈએ. જેમાં તૈજસ સમુદ્ધાતનો સંભવ જ ન હોય તેના ન કહેવા જોઈએ. નારકો, એકેન્દ્રિયો, અને વિક્લેન્દ્રિયોમાં તૈજસ સમુદ્યાતનો સંભવ નથી. પૂર્વોક્ત પ્રકારે કોઈ પણ દંડકમાં વિધિરૂપથી, કોઈમાં નિષેધ રૂપથી આલાપક કહેવાથી ૧૦૫૬ આલાપક થાય છે. એકેએક નારકના નાક પર્યાયમાં રહેવા છતાં અતીત, સમુદ્યાત નથી. કેમકે નારક પર્યાયમાં આહારક સમુદ્ધાતનો સંભવ નથી હોતો. નારકના નારકપણે ભાવી આહાર સમુદ્યાત નથી. કેમકે જીવ જ્યારે નારક પર્યાયમાં હોય ત્યારે આહારક લબ્ધિ નથી થઈ શકતી. અને તેના અભાવમાં આહારક સમુદ્યાત પણ નથી થઈ શકતા. મનુષ્ય સિવાયના દંડકોમાં ભાવી આહારક સમુદ્યાત નથી હોતા કેમકે એ બધા પર્યાયોમાં આહારક સમુદ્ઘાતનો નિષેધ છે. મનુષ્યપણે અર્થાત્ જયારે કોઈ નારક પૂર્વકાળમાં મનુષ્ય પર્યાયમાં રહીને કોઈના આહારક સમુદ્દાત કહ્યા છે. અને કોઈના નથી કહ્યા. જેના કહ્યા છે તેના જઘન્ય ૧, ૨ અને ઉત્કૃષ્ટ ૩ છે. કોઈ નારકના ૩૦૦
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy