SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ . (મું) સમુઘાત દ્વાર દિંડક પ્રકરણમાં દંડકના ૨૪ ધારોની આગમિક ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આ વિચારણામાં ૯મા દ્વારમાં સમુદ્યાત વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે મુજબ છે. સમુદ્યાતના અર્થો : શાસ્ત્રમાં સમુદ્યાતના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે. (૧) એકાગ્રતાપૂર્વક પ્રબળતા સાથે વાત કરવો અર્થાત વેદના વગેરે સાથે ઉત્કૃષ્ટ રૂપથી એક થઈ જવું તેને સમુદ્દાત કહે છે. (૨) દેવના આદિ નિમિત્તોથી આત્મપ્રદેશોને શરીર બહાર કાઢવા તેને સમુદ્દાત કહે છે. (૩) સમીચીન ઉઘાતને સમુદ્ધાત કહે છે. (૪) મૂળ શરીરને ન છોડતાં તૈજસ, કાર્મણરૂપ ઉત્તર દેહની સાથે-સાથે જીવ પ્રદેશોને શરીરથી બહાર કાઢવા તેને સમુદ્દાત કહે છે. (૫) બળજબરી કરી આત્મપ્રદેશો બહાર નીકળી, વધારે પડતાં જૂનાં કર્મોની ઉદીરણા કરી તેને ભોગવી નાશ કરવાનો પ્રયત્ન સમ-એટલે એક સાથે ઉત્ એટલે પ્રબળતાથી, અને ઘાત અર્થાત્ કર્મોનો નાશ, જે પ્રયત્નમાં થાય તેને સમુદ્દાત કહેવાય છે." સમુદ્યાતના ભેદો અને તેનું વિવેચન : શાસ્ત્રમાં દર્શાવેલ સમુદ્ધાતને સાત પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે. (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણાંતિક સમુદ્રઘાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) તૈજસ સમુદદ્દાત (૬) આહારેક સમુઘાત (૭) કેવલી સમુદ્યાત. વેદના વગેરે સમુદ્ધાતના સમયે આત્મા વેદના વગેરે જ્ઞાન રૂપે જ પરિણત થઈ જાય છે. જ્યારે જીવ વેદના વગેરે સમુદ્ધાતોમાં પરિણત થઈ જાય છે ત્યારે વેદનીય ૨૯૨
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy