________________
પ્રદેશોની અપેક્ષાએ સામાન્યપણાથી પરિમંડલોનો વિચાર કરવામાં આવે છે, ત્યારે ચાર અપહારથી બહાર કાઢેલ તે પ્રદેશોમાંથી ચાર ચાર બચે ત્યારે કૃતયુગ્મ રૂપ હોય છે. ત્રણ બચે ત્યારે વ્યોજ થાય છે. અંતમાં બે બચે ત્યારે દ્વાપરયુગ્મ થાય છે અને જયારે એક બચે ત્યારે કલ્યોજરૂપ થાય છે કેમ કે એકે એક પ્રદેશમાં અનેક પરમાણુઓની અવગાહના થાય છે.
કાળની અપેક્ષાએ પાંચેય સંસ્થાનો કોઈ વાર કૃતયુગ્મ સ્થિતિવાળા યાવત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા હોય છે. સઘળા સંસ્થાનોનું સામાન્ય અને ભેદની અપેક્ષાથી સ્થિતિવાળા પહેલા બતાવેલ છે.
ભાવની અપેક્ષાએ બધા સંસ્થાનો પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શીના પર્યાયોથી કતયુગ્માદિ મ છે. અર્થાત્ એકપણા, અનેકપણાથી કૃતયુગ્મ રૂપ થાવત્ કલ્યોજરૂપ કહ્યું છે. યાવત્ આયત સંસ્થાન સુધીનું કથન સમજવું જોઈએ. સંગ્રહ ગાથાનો અર્થ -
પરિમંડલ' સંસ્થાનના ૫, ૪૦, ૧૨ અને ૬ ભેદ છે. વૃત્ત સંસ્થાનના ૫, ૧૨, ૭, ૩૨ અને ૫ ભેદ છે. વ્યગ્ન સંસ્થાનના ૩, ૬, ૩૫ અને ૪ ભેદ છે. ચતુરગ્ન સંસ્થાનના ૯, ૪, ૨૭ અને ૮ ભેદ છે. આયત સંસ્થાનના ૩, ૨૪, ૧૫ અને ૬ ભે છે.
પરિમંડલે સંસ્થાનમાં કૃતયુગ્મ વર્જીને કલ્યોજ, વ્યાજ અને દ્વાપર યુગ્મ હોય છે. બાકીના સંસ્થાનમાં કૃતયુગ્મ, કલ્યોજ, વ્યાજ અને દ્વાપરયુગ્મ હોય છે. ઇત્ય અનિત્ય સંસ્થાનના લક્ષણો -
જેના વિષયમાં આ સંસ્થાન આ પ્રકારનું છે એવું નિર્દેશ કરી શકાય તે લક્ષણ સંસ્થાન છે. વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, આયત અને પરિમંડલ આદિ બધા ઈત્યે લક્ષણ સંસ્થાન છે.
તેના સિવાય વાદળાં આદિના આકાર જો કે અનેક પ્રકારના છે. અને જેના વિષયમાં “આ તે પ્રકારનું છે” આ કહી ન શકાય તે અનિત્ય લક્ષણ સંસ્થાન છે.
૨૨૩