________________
અનંત પ્રદેશો અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, કયારેક બે પ્રદેશ એ જ પ્રમાણે ક્યારેક અસંખ્યાત પ્રદેશો પણ અવગાઢ હોય છે. આ કથનમાં ધર્માસ્તિકાયના અસંખ્યાત સુધીના પ્રદેશોની અવગાહના સમજવી. કેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ સિદ્ધાંતમાં બતાવ્યા છે. તેમાં અનંત પ્રદેશો હોતા નથી. જીવ, પુદ્ગલ અને અદ્ધા સમય આ ત્રણમાં અનંત પ્રદેશો હોય છે, કારણ કે તેઓ અનંત હોય છે.
હવે જ્યાં એક અદ્ધાસયમ અવગાઢ હોય છે ત્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, અધર્માસ્તિકાયનો એક પ્રદેશ, આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે. જીવાસ્તિકાયના અનંત પ્રદેશો પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશો અવગાઢ હોય છે. ત્યાં અદ્ધાસમય અન્ય એક પણ અવગાઢ હોતો નથી. કારણ કે સ્વસ્થાનમાં અવગાહનાનો સદ્ભાવ હોતો નથી.
જ્યાં ધર્માસ્તિકાય અવગાઢ છે ત્યાં ધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ અવગાઢ હોતો નથી. કારણ કે ધર્માસ્તિકાય ત્યાં પોતાના સમસ્ત પ્રદેશોનો સંગ્રહ કરીને અવગાઢ થયેલું હોય છે. તેથી તેનો અન્ય કોઈ એવો પ્રદેશ નથી કે જે ત્યાં અલગરૂપે અવગાઢ હેય છે, ત્યાં અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશો અવગાઢ હોય છે. આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો અવગાઢ હોય છે. કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના અને લોકાકાશના અસંખ્યાત પ્રદેશો હોય છે. જીવાસ્તિકાયના અનંત પ્રદેશો, પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશો અને અનંત અદ્ધાસમયો અવગાઢ હોય છે. તેને કારણે અદ્ધાસીયો પણ અનંત હોય છે.
જ્યાં અધર્માસ્તિકાય અવગાઢ છે ત્યાં ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો અવગાઢ હેય છે. અધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ અવગાઢ હોતો નથી. કેમકે તેના સમસ્ત પ્રદેશોનો અધર્માસ્તિકાય પદ દ્વારા સંગ્રહ થઈ જાય છે, તેથી અલગ પ્રદેશ સંભવી શકતો નથી. બાકીના આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને અદ્ધાસમયના વિષયમાં ધર્માસ્તિકાયના વિષયમાં જે આલાપક આવ્યા છે એવા જ અહીં સમજવા. એ જ પ્રમાણે પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે ધર્માસ્તિકાયથી લઈને અદ્ધાસમય પર્વતનાં દ્રવ્યનું કથન
૧૯૨