________________
અન્ય નિયુક્તિઓ:- આચાર્ય ભદ્રબાહુએ દશ ગ્રંથો પર નિર્યુક્તિ લખી હતી. તે સિવાય પિંડનિર્યુક્તિ, ઓપનિયુક્તિ, પંચકલ્પનિયુક્તિ, નિશીથ નિયુક્તિ અને સંસક્તનિયુક્તિ આદિ નિયુક્તિઓ પણ મળે છે. ગોવિંદાચાર્ય કૃત એક અન્ય નિયુક્તિ છે. પણ તે અનુપલબ્ધ છે.
“ભાષ્ય અને ભાષ્યકાર” : નિર્યુક્તિઓના ગૂઢાર્થને પ્રગટરૂપમાં પ્રસ્તુત કરવાને માટે આગળના આચાર્યોને તેના પર વિસ્તૃત વ્યાખ્યાઓ લખવી આવશ્યક લાગી. આ રીતે નિયુક્તિઓના આધારે લખવામાં આવેલી વ્યાખ્યાઓ ભાષ્યના રૂપમાં પ્રસિદ્ધ છે. ભાષ્ય પણ નિયુક્તિઓની જેમ પ્રાતમાં જ છે. નિમ્નલિખિત આગમ ગ્રંથો ઉપર ભાષ્ય લખવામાં આવ્યાં છે. - (૧) આવશ્યક, (૨) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) બૃહત્કલ્પ, (૫) પંચકલ્પ, (૬) વ્યવહાર, (૭) નિશીથ, (૮) જીતકલ્પ, (૯) ઘનિર્યુક્તિ, (૧૦) પિંડનિર્યુક્તિ
ઉપલબ્ધ ભાષ્યોની પ્રતિઓને આધારે માત્ર બે ભાષ્યકારોની પ્રતો મળે છે. (૧) આચાર્ય જિનભદ્ર અને (૨) સંઘદાસગણિ.
- આચાર્ય જિનભદ્ર - . આચાર્ય જિનભદ્ર નિવૃત્તિકુળના હતા. તેઓ ભિન્ન-ભિન્ન દર્શનોના શાસ્ત્ર, લિપિવિઘા, ગણિતવિદ્યા આદિના પ્રકાંડ પંડિત હતા. તેઓશ્રીએ વિશેષાવશ્યકભાષ્ય અને જીતકલ્પ ભાષ્યની રચના કરી. તેઓશ્રી જૈન શ્રમણોના પ્રમુખ હતા.
સંઘદાસગરિ :સંઘદાસગણિ ભાષ્યકારના રૂપમાં પ્રસિદ્ધ છે. એમનાં બે ભાષ્ય ઉપલબ્ધ છે. બૃહત્કલ્પલઘુભાષ્ય અને પંચકલ્પ-મહાભાષ્ય.