________________
જર
ભર્તુહરિકૃત પરિણીત ઃ
(ભરતભૂમિને માટે ખેદ उदासीनो देवो मदनमथनः सजनकुले . कलिक्रीडासतः कृतपरिजनः प्राकृतजनः। इयं म्लेच्छाक्रान्ता त्रिदशतटिनी चोभयतटे कथं भ्रातः स्थाता कथय सुकृतिन कुत्र विभयः ॥७९॥
હે ભાઈકામને નાશ કરનારા ભગવાન્ શંકર હમણાં સપુરુષના ઉપર ઉદાસ થઈ ગયા છે; મનુષ્ય પણ પ્રાકૃત બની જઈને પિતાના પરિવાર સાથે કલહજનક પાપકર્મમાં રીપચી રહ્યા છે, અને ગંગાનદીના ઉભય તટે પણ પ્લેચછાથી ભરપૂર થઈ ગયા છે. આવી સ્થિતિ5થવાથી, હે પુણ્યશીલ ભાઈ! કહે, હવે તું કયાં જઈશ? અને નિર્ભય થઈ કયા સ્થાનમાં નિવાસ કરીશ? ૭૯ : શાર્દૂવી હિતવૃત્ત ; निस्सारा वसुधाधुना समजनि प्रौढप्रतापानलज्वालाजालसमाकुला द्विपघटासंघट्टविक्षोभिता। म्लेच्छानां रथवाजिपत्तिनिवहैरुन्मूलिता कीदृशीयं विद्या भवितेति हन्त न सखे जानीमहे मोहिताः॥८॥
હુમણાં આ આર્યભૂમિ સ્કેચ છોના પ્રૌઢ પ્રતાપરૂપી અગ્નિજવાળાની જાળથી વ્યાકુળ થવાથી તથા સ્વેચ્છના હાથીઓના સમૂહોના પરસ્પર અથડાવાથી થરથર કંપતી હાવાથી નિવાર્ય બની ગઈ છે અને પ્લેચ્છના રથે, ઘોડાઓ અને પાળાઓના સમૂહે પોતાના પગરોથી છેદી નાંખી છે.
મિત્ર! આ બધું જોઈને અમે મુંઝવણમાં પડી ગયા છીએ અને અમારી બ્રહ્મવિદ્યાની હવે કેવી ગતિ થશે, તે અમે જાણી શકતા નથી. ૮૦