________________
વિજ્ઞાનશતક
૧૩ રચવામાં અલૌકિક કરામત ધરાવનારી છે. તે માયાથી જ કામની ઉત્પત્તિ થાય છે. અરે ! એટલું જ નહિ, પરંતુ પ્રત્યેક જીવન મહામહને નાશ કરનારા અને ક્યિારહિત ભગવાન પણ માયાના સંગમાં રહેવાથી “શ્રીપતિ’ થયા છે અને ક્યિારહિત છતાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયપી કર્મ કર્યા કરે છે. ૨૧.
તાત્પર્ય-માયા એવી તો મેહકારિણી છે, કે તેના સંગથી ઈશ્વર જેવા પણ મેહમાં લપટાયા છે; તે પછી બીજાની તો વાત જ શી? માટે બને ત્યાં સુધી માયાની જાળમાં ફસાવું નહિ. - રારિનીવૃત્ત
(ઈશ્વરનું અસ્તિત્વ) यदध्यस्तं सर्व नजि भुजगवद्भाति पुरतो महामायोद्गीर्ण गगनपवनाद्यं तनुभृताम् । भवेत्तस्या भ्रान्तेर्मुररिपुरधिष्ठानमुदयं । यतो न स्याङ्क्रान्तिनिरधिकरणा क्वापि जगति ॥२२॥
આ સર્વ જગત્ મહામાયાથી ઉત્પન્ન થયું છે ને પાંચ મહાભૂતેથી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે અને પુષ્પની માળામાં જેમ સર્પ ભાસે છે તેમ સમ્મુખ પરમાત્મામાં અધ્યાસવાળું સર્વ જગતું સમ્મુખ ભાસે છે. કેાઈને શંકા થાય કે જે દેખાય છે તે મિથ્યા કેમ હોય? તેના ઉત્તરમાં કહેવાનું કે અંધારામાં પડેલી માળામાં જેમ સર્ષની ભ્રાંતિ થાય છે, તેમજ મુરારિ ભગવાનને વિષે પણ અજ્ઞાનીઓને જગતની ભ્રાંતિ થાય છે. જેમ સર્પ મિથ્યા છે, પરંતુ જેના પર સર્ષની ભ્રાંતિ થાય છે એવી માળા પી અધિકરણ વસ્તુ સત્ય છે, તેમ જ