________________
ભર્તુહરિકૃત बसन्ततिलकावृत्त
यां चिन्तयामि सततं मयि सा विरक्ता साप्यन्यमिच्छति जन स जनोऽन्यसक्तः। अस्मत्थरों परितुष्यति काचिदन्या धिक् तां च तच मदनं च इमां च मां च ॥ હું જે સ્ત્રીનું હિયમાં નિરંતર ચિંતન કરે છું તે મારી સ્ત્રી (રાણી) મારાથી વિરક્ત છે. એટલું જ નહીં, પરંતુ પરપુરુષ ઉપર આસક્ત છે; તે પુરુષ વળી બીજી સ્ત્રી (ગણિકા) ઉપ૨ આસક્ત છે, અને તે સ્ત્રી પાછી મારા ઉપર પ્રસન્ન રહે છે, એટલે મારા ઉપર આસક્ત છે. માટે જે સ્ત્રી મારા ઉપર આસક્ત છે તેને તેની ઉપર જે પુરુષ આસક્ત છે તેને, તે પુરુષ ઉપર જે મારી સ્ત્રી આસક્ત છે તેને, મને અને આ સઘળી આસકિત જેનાથી પેદા થયેલી છે તે કામદેવને ધિકાર છે.
૧. મૂખપ્રકરણ ૧-૧૦ बोद्धारो मत्सरग्रस्ताःप्रभवः स्मयदूषिताः। अबोधोपहताश्चान्ये जीर्णमङ्गे सुभाषितम् ॥१॥
વિરાગનું કારણુ-જ્ઞાતાઓ મત્સરથી ગ્રસ્ત થયેલા છે, રાજાએ ગર્વેથી દૂષિત થયેલા છે અને આ બન્ને સિવાયના અન્ય અને અજ્ઞાનથી નષ્ટ-આત્મજ્ઞાન વિનાના થયેલા છે. તેથી સુભાષિત અંતરંગમાં છુપાઈ ગયું. ૧
અધૂરા જ્ઞાનીની નિન્દા मार्या
अशः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः। शानलवदुर्विदग्धं ब्रह्मापि तं नरं न रखयति ॥२॥
[આ લેકમાં અજ્ઞ (કાંઈ પણ ન જાણનાર), સુજ્ઞ (સારી રીતે જાણનાર), અને અ૯પ૪ (થોડું જાણનાર), એ રીતે