________________
ભર્તુહરિકૃત मत्वा विश्वमनश्वरं निविशते संसारकारागृहे संदृश्य क्षणभङ्गुरं तदखिलं धन्यस्तु सन्न्यस्यति ॥२०॥
ઊંચું મંદિર છે, સાધુજનેને ગમે એવા પુત્રો છે, ધનધાન્યાદિ સમૃદ્ધિ સંખ્યાતીત છે, અનકળપણું વગેરે ગુણેને ધરાવતી સ્ત્રી છે અને નવીન ઉમર છે અર્થાત્ ચાવનાવસ્થા છે, આવી રીતે અજ્ઞાનથી મૂઢ બનેલે વિવેકશુન્ય જન વિશ્વાંતર્ગત આ ગૃહ, અપત્ય, વિત્ત અને સ્ત્રી વગેરેના પ્રપંચને શાશ્વત માની સંસારપ કારાગૃહમાં પ્રવેશ કરે છે (તેમના પર આસક્ત થાય છે, પરંતુ જ્ઞાની પુરુષ તે સર્વ અશાશ્વત અર્થાત્ ક્ષણભંગુર છે, આવી રીતે જ્ઞાનદૃષ્ટિથી વિચાર કરીને તેમને ત્યાગ કરે છે અર્થાત તેમનાપર આસક્ત થતો નથી. (માટે ખરેખર તે ધન્ય છે.)૨૦
૩ યાચનાજનિત દીનતારૂ૫ દૂષણપ્રકરણ ૨૧-૩૦ અવ-મનસ્વી પુરુષને યાચના કરવી, એના જેવું બીજું દુઃખ નથી. शार्दूलविक्रीडितवृत्त
दीना दीनमुखैः सदैव शिशुकैराकृष्टजीर्णाम्बरा क्रोशद्भिः क्षुधितैर्निरनविधुरा दृश्येत चेद्गहिनी। याश्चाभङ्गभयेन गद्दगल त्रुट्यद्विलीनाक्षरं को देहीति वद स्वदग्धजठरस्यार्थे मनस्वी जनः ॥२१॥
ભૂખ લાગવાથી રેતાં અને નિસ્તેજ મુખવાળાં દરિદ્રી બાળકે સદૈવ જેનાં જીણું કપડાં ખેંચતાં હોય એવી અને બાળકને આપવાને માટે ઘરમાં અન્ન ન હોવાથી વિદ્ગલ થયેલી સ્ત્રી જે જોવામાં આવે તે યાચનાભંગ થવાના ભયથી ગદગદ વાણીએ ટુટતા અને પડતા અક્ષરે મને આપે,” એમ ક મનસ્વી માણસ પાપી પેટને માટે શિક્ષા માગે વારૂ? ૨૧