________________
ભર્તુહરિકૃત સ્તને જે માંસની ગાંઠે છે તેને કનકકલશની ઉપમા. અપાયેલી છે, મુખ જે શ્લેષ્મનું સ્થાન છે તેને ચંદ્રની સાથે સરખાવવામાં આવેલું છે અને સવતા મૂત્રથી ભીની જાંઘને હસ્તિરાજની સુંઢની સ્પર્ધા કરાવી છે, માટે અરેરે! આ રીતે નિંદાને પાત્ર એવાં રૂપને મહા કવિજનેએ. વખાણ વખાણને ઉત્તમ કરેલું છે. ૧૬ રાહૂઢવિક્રીતિવૃત્ત
एको रागिषु राजते प्रियतमादेहार्धहारी हरो नीरागेष्वपि यो विमुक्तललनासङ्गो न यस्मात्परः। दुर्वारस्मरबाणपन्नगविषज्वालावलीढो जनः शेषः कामविडम्बितान्न विषयान्भोक्तुं न मोक्तुं क्षमः ॥१७॥
રાગી (સંસારમાં આસક્ત) પુરુષમાં એક શંકર જ રાજે છે, કારણ કે તેણે પિતાની પ્રિયાનું અધું શરીર હરેલું, છે અને વૈરાગ્યવાળાઓમાં પણ સ્ત્રીઓને સંગ તજનારા શંકર જ રાજે છે, કારણ કે શંકરથી બીજે કેઈ, કામી પુરુષથી નિવારણ થઈ ન શકે એવાં કામના બાણુરૂપી સર્પની ઝેરી વાળાથી વ્યાપ્ત થયે થકા વિષયને ભેગવવા માટે વા છેડવા માટે સમર્થ નથી, એટલે એક શંકર જ સમર્થ છે. ૧૭
અભિપ્રાય – પાર્વતીની સાથે વિવાહ થયા પહેલાં મેહ કરવા આવેલા કામદેવને શંકરે બાળીને ભસ્મ કર્યો છે, (અર્થાત જ છે), માટે શંકર વૈરાગ્યવાળામાં શોભે છે, એટલે શ્રેષ્ઠ છે; અને વિવાહ થયા પછી વિયાગના ભયથી પાર્વતીને પિતાનાં અર્ધ શરીરમાં ધારણ કરે છે (અર્ધ નારીશ્વર છે), માટે રાગી(સંસારી)માં પણ સંકર જ શોભે છે એટલે શ્રેષ્ઠ છે.
* લીંઢ લાળ વગેરેનું.