________________
અને એ ક્ષણ[શુદ્ધક્ષણ), પૂર્વક્ષણ[અશુદ્ધક્ષણની સાથે અવિત છે એમ માની લેવાય તો સ્વસિદ્ધાંત[નિરન્વયનાશનો વ્યાઘાતવિરોધ થશે.. ઈત્યાદિ નિશ્ચિત રીતે સમજી લેવું.
ગાથામાં વિશેષપુરતઃ આ પ્રમાણે વચનનો પ્રયોગ હોવાથી સર્વથા નિર્ગુણ અવસ્થાને મુક્તિ કહેવાય છે એમ માનવાના બદલે કથંચિત્ નિર્ગુણ અવસ્થાને મોક્ષ કહેવાય છેએમ માનવાથી તે પક્ષનો આદર થાય છે અને સર્વથા નિર્ગુણમુક્તિને માનનારા વેદાંતીઓનું નિરાકરણ થાય છે. I૧-૩.
આ પ્રમાણે બૌદ્ધમતના નિરાકરણને જણાવીને અન્યદર્શનકારોએ જણાવેલી તે તે અવસ્થા વાસ્તવિક પરતત્ત્વમાં જ સંભવે છે-તે જણાવાય છે – ,
एवं पशुत्वविगमो दुःखान्तो भूतविगम इत्यादि । अन्यदपि तन्त्रसिद्धं सर्वमवस्थान्तरेऽत्रैव ॥१६-४॥
“આ રીતે પશુત્વનો વિગમ; દુઃખોનો અંત અને ભૂતનો વિગમ વગેરે બીજાં પણ તે તે દર્શનમાં જણાવેલું બધું આ જ પરતખ્તાવસ્થામાં જ સગત થાય છે.” આ પ્રમાણે ચોથી ગાથાનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અજ્ઞાનસ્વરૂપ પશુત્વનો; ફરીથી પાછું ક્યારેય ઉત્પન્ન થાય નહિ એ રીતે જે નાશ છે તેને પશુત્વનો વિગમ કહેવાય છે. સર્વ દુઃખોના નાશને દુઃખાત્ત કહેવાય છે. પૃથ્વી, પાણી વગેરે ભૂતોના આત્યન્તિક વિયોગને ભૂતવિગમ કહેવાય છે. આવી જ બીજી બધી તે તે આગમશાસ્ત્રમાં વર્ણવેલી મુક્તાવસ્થા છે.