SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) સિદ્ધાન્તમાં દશ દ્વાને મનુષ્ય ભવની દુર્લભતા બતાવી છે. તેમાં પણ વીજળીના ચમકારની જેવું જીવન ક્ષણવિનાશી છે. અને આઉખું અંજળિમાં રહેલું જળ જેમ ક્ષણેક્ષણે ઘટતું જાય અને જોતજોતામાં ખુટી જાય એવું અસ્થિર છે, એમ સર્વસ ભગવાને ભાખેલું છે. (૨) જોબન સંધ્યાના રંગ જેવું ચંચળ છે. કાયા અનેકવિધ અશુચિથી ભરેલી હોવાથી મલીન છે. વળી વૃક્ષની છાયાની જેમ એ કાયાને ક્ષીણ થતાં વાર લાગતી નથી. મૂઢતાથીજ છવ તેમાં મુંઝાઈ રહે છે. (૩) લક્ષમી નદીના પાણીના વેગની જેમ જોતજોતામાં ચાલી જાય છે. પુત્ર, મિત્ર અને સ્ત્રી પ્રમુખ સંબંધીઓ સ્વાર્થના સગા છે. તેમની સંગાતે માંસની પેશીમાં લુબ્ધ થયેલા માછલાંની પેઠે મુગ્ધ જીવ મેહજળથી બંધાઈ રહે છે. (૪) એ રીતે ચાર ગતિરૂપ સંસાર અધે અસારજ છે, તેમ છતાં સાર માત્ર એટલેજ લેખાય કે તથાવિધ શ્રેટ સામગ્રી પામીને નિરંજન-વીતરાગ પ્રભુનું સ્મરણ-ચિંતવન સાચા દિલથી પ્રેમેલ્લાસપૂર્વક નિત્ય ચઢતે રંગે કરી શકીએ. એમ વિચારી તેમાં દિનપરદિન સવાયે પ્રેમ કરતાં જવું તે ઘટિત છે. (૫) સાર બધ-દુનિયાની દરેક ચીજ સ્વપ્નવત્ સરી જનારી છે, તેથી સુજ્ઞ-ચકોર ભાઈબહેનેએ તેમાં ફસાઈ ન જવાય એવી ખબરદારી રાખવી ઘટે છે. ગમે તેવા લાલચના પ્રસંગે તેની સામે અડગ રહેવામાંજ જ્ઞાનની ખરી કસોટી થાય છે. અજ્ઞાની જીવ તેમાં સહેજે લેવાઈ–લપટાઈ જાય છે, ત્યારે જ્ઞાની
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy