________________
૩ (૩૩) નિરખ ચરન મન હરખ ભય અતિ,
વામાનંદનકે, દેખે. ૪ ચિદાનંદ અબ સકલ મનેરથ,
સફળ ભયે મનકે દેખો. ૫ અર્થ_ો ભવ્ય ! જિનેશ્વરના સુંદર એવા બે ચરણકમળ તમે જુઓ ! તે કેવા સુંદર છે? જેમ ઉદયાચળ પર ઉદય પામેલ સૂર્ય લાલ દેખાય છે તેવા જેના ચરણના નખ માણેકના હોય તેમ લાલ દેખાય છે. વળી રિષ્ટ રત્નમય શરીરમાં તેમના ચરણની કાંતિ નલત્પલ (કમળ) જેવી શોભે છે. તે દેવના ચરણ સુગંધી પુષે યુક્ત યક્ષકઈમવડે અર્ચિત થયેલા હોય છે. એવું ચરણકમળ વામાનંદન શ્રી પાર્શ્વનાથજીના જોઈને મનમાં અત્યંત હર્ષ ઉત્પન્ન થયે છે. એટલે ચિદાનંદજી અથવા જ્ઞાનસ્વરૂપી આત્મા કહે છે કે-હવે તે મારા મનના સર્વ મનોરથ સફળ થયા એમ હું માનું છું. ૧થી ૫.
સાર-આ પદમાં શ્રી પાર્શ્વનાથજીની ખાસ કરીને તેમના ચરણકમળની સ્તુતિ છે. એ ચરણની પ્રથમ શોભા વર્ણવી છે. એવા પ્રભુના ચરણકમળ જેવાથી ભવ્ય જીવના હૃદયમાં અપૂર્વ હર્ષને ઉદય થાય છે અને તેથી તેના સર્વ મનોરથ અવશ્ય સિદ્ધ થાય છે. પ્રભુના ચરણ કમળ પ્રમાણે આખા અંગની શોભા સમજી લેવી. આ તે બાહ્ય અંગની શેભાનું વર્ણન છે, ખરી રીતે તે તેમની આત્મિક શેભાનું સ્વરૂપ સમજવાની જરૂર છે. ત્યાં માત્ર જ્ઞાન દર્શન ચારિત્ર સિવાય બીજું કાંઈ નથી. એના વડે જ એ અનુપમેય છે. આ પ્રમાણે આ પદનું રહસ્ય છે,
ઈશિમ,
મન
માનું છું
કદમાં શ્રી