________________
(૧૬૮). આ જગતમાં જીવમાત્ર મુસાફર છે. તેમાં જે ખરે માગે ચડેલા હોય છે તે ધારેલે સ્થાને વહેલા મોડા પણ પહોંચે છે, પરંતુ જેઓને સાચે માર્ગ મળ્યો હેતું નથી તેઓ ચાર ગતિરૂપ સંસારમાં ભટક્યા જ કરે છે, પરંતુ ઇચ્છિતસ્થાને પહોંચતા નથી. તે જ પ્રમાણે આ ચેતન પણ એક મુસાફર છે તેને મેક્ષસ્થાન મેળવવું છે–ત્યાં જવું છે-તેનું સાધ્ય તે છે, પરંતુ જેને તે સ્થાનને શુદ્ધ માર્ગ લભ્ય થયા હોય છે અર્થાત્ સંખ્ય જ્ઞાન દર્શન પામ્યા હોય છે તેઓ વહેલા મોડા પણ સાધ્યરથળે પહોંચે છે.
એવા મુસાફરને અંગે તેને જાગૃત કરવા–પ્રમાદ દૂર કરવા શુદ્ધ ચેતના કહે છે કે હે સ્વામી ! તમે હવે જાગે. હવે નિદ્રા તજી ઘો. તમે પ્રમત્ત ભાવમાં વતીને-પાંચ પ્રમાદને વશ થઈને ઘણું ગુમાવ્યું છે. તમારા આત્મધનની પુષ્કળ ચેરી થઈ છે, વિષય ને કષાય મળીને તમારા ગુણરૂપી દ્રવ્યને હરી ગયા છે. હવે જે રહ્યું હોય તે સંભાળી, સાવધાન થઈ, પચે પ્રમાદને તજીને સાચે પંથે પી જાઓ.
આગળ કહે છે કે હજુ તમારે મજલ ઘણી કરવાની છે, તમારે જવાનું સ્થાન બહુ દૂર છે. હજી તમારે આ જળથી ભરેલે સમુદ્ર (ભવસાગર) તરવાને છે, માટે તમારા હૃદયમાં મારી શિખામણ ધારણ કરે. ૨.
આ જીવને મનુષ્યભવાદિ સામગ્રી પામ્યા છતાં હજુ ઘણે પંથ કાપવાને છે. તેને માટે પ્રમાદ તજીને, વિરતિ ધારણ કરીને, અપ્રમત્તપણે પંથ કાપવો પડશે. આત્માને લાગેલાં કર્મોના પડળને રત્નત્રયીના બળવડે ઉખેડી નાખવા પડશે. આ