SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) જેવા ક્ષવિનાશી છે, એમ હું ચેતન ! તું સમજ. ૧. આ પ્રમાણેના અનિત્ય ભાવ વૃષભની વૃદ્ધાવસ્થાને લઈને– તેની ગળી ગયેલી કાયા જોઈને જેના ચિત્તમાં આવ્યે એવા કરકડુ રાજા પ્રતિધ પામ્યા અને સંસાર તજી દીધા. ૨. આમ મનમાં સમજીને ચિદાનંદજી મહારાજ કહે છે કેહે આત્મા ! કાઇપણ પદાર્થ ઉપર મમતા ન કરવી. આવા સદ્ગુરૂએ ભેદ ખતાન્યેા છે અર્થાત્ મમ સમજાવ્યેા છે. ૩ સાર–આ મર્મ નિરંતર લક્ષમાં રાખવા ચાગ્ય છે. ભૂલી જવા જેવા નથી; જે ભૂલી જાય છે. તે ભૂલથાપ ખાય છે ને હેરાન થાય છે. આ પદમાં કર્તાએ અનિત્ય ભાવનાનું સ્વરૂપ ખીલવ્યું છે અને તે ઉપર કરકંડુ રાજા કે જે પ્રત્યેકબુધ્ધ થયેલા છે તેનુ દૃષ્ટાંત સૂચવ્યું છે. તેમણે એક વૃષભને તેની યુવાવસ્થામાં મદોન્મત્ત સ્થિતિમાં જોયેલા, તેનેજ વૃધ્ધાવસ્થા પામવાથી સારી રીતે હાલી ચાલી પણ ન શકે તેવા અને જ રિત શરીરવાળા જોયા, તે ઉપરથી આ દેહની તેમજ સસારના સ પદાર્થાની અનિયતા ભાસવાથી તેમણે સંસાર તજી દીધા, મુનિપણુ· સ્વીકાર્યું અને પ્રાંતે ચારિત્રનું આરાધન કરીને સિદ્ધિસુખને પામ્યા. ધન્ય છે એવા મહાનુભાવને ! કે જે એક પ્રસગમાં અનિત્યતા જોતાંજ મેધ પામી ગયા. આ જીવ બહુલક હાવાથી એવા અનેક પ્રસગે! જુએ છે, અનુભવે છે, વેદે છે, છતાં તેને સાન આવતી નથી. ખરૂ ભાન કે જ્ઞાન થતુ નથી અને સંસારમાં એક સરખા રક્ત રહીને પરિભ્રમણ કરે છે. કર્તાની કહેલી હિતશિક્ષા ખાસ ધ્યાનમાં લેવા લાયક છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy